સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

સંચાર મંત્રી શ્રી રવિ શંકર પ્રસાદે પોસ્ટ વિભાગના સચિવને સ્પીડ પોસ્ટના માધ્યમથી દવાઓ પહોંચાડવાની કામગીરીને સૌપ્રથમ પ્રાથમિકતા આપવાની ખાતરી કરવા જણાવ્યંા

Posted On: 13 APR 2020 6:49PM by PIB Ahmedabad

કેન્દ્રીય સંચાર, કાયદા અને ન્યાય, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ સૂચના પ્રોદ્યોગિકી મંત્રી શ્રી રવિ શંકર પ્રસાદે પોસ્ટ વિભાગના સચિવને એ બાબતની ખાતરી કરવાના આદેશ આપ્યા છે કે લૉકડાઉન દરમિયાન સ્પીડ પોસ્ટના માધ્યમથી દવાઓ પહોંચાડવાની કામગીરીને સૌપ્રથમ પ્રાથમિકતા આપવામાં આવે.

 

સંચાર મંત્રીએ આજે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે ભારતીય પોસ્ટ વિભાગના તમામ કર્મચારીઓ આ અંગે સંવેદનશીલ હોવા જોઈએ જેથી કરીને કોઇપણ વ્યક્તિને દવાઓ મોકલવા માટે અથવા મેળવવા માટે કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

 

GP/RP



(Release ID: 1614065) Visitor Counter : 159