શ્રમ અને રોજગાર મંત્રાલય

કેન્દ્રીય શ્રમ મંત્રાલયે કોવિડ-19 રોગચાળાને પગલે ઇપીએફ સભ્યો અગાઉથી નોન-રિફંડેબલ રકમ ઉપાડી શકે એ માટે ઇપીએફ યોજનામાં સુધારો જાહેર કર્યો


ઇપીએફઓએ સુધારાનો અમલ કરવા પ્રાદેશિક ઓફિસોને સૂચના આપી

Posted On: 29 MAR 2020 12:14PM by PIB Ahmedabad

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયે જીએસઆર 225()માં ઇપીએફ યોજના 1952માં સુધારો જાહેર કર્યો છે, જેમાં દેશમાં કોવિડ-19 રોગચાળાને પગલે ઇપીએફના સભ્યો દ્વારા અગાઉથી નોન-રિફંડેબલ રકમ ઉપાડવાની મંજૂરી આપવામાં આવી છે. અધિસૂચના મહત્તમ ત્રણ મહિના માટે મૂળભૂત પગાર અને મોંઘવારી ભથ્થાથી વધારે રકમ કે ઇપીએફ ખાતામાં સભ્યની ક્રેડિટમાં મહત્તમ 75 ટકા સુધીની રકમ ઉપાડવાની સુવિધા આપે છે. સુધારો રોગચાળાને કારણે કરવામાં આવ્યો છે.

 

કોવિડ-19ને સંપૂર્ણ દેશ માટે ઉચિત સત્તામંડળ દ્વારા રોગચાળો જાહેર કરવામાં આવ્યો છે એટલે આખા દેશમાં વિવિધ કંપનીઓ અને કારખાનાઓમાં કામ કરતા કર્મચારીઓ, જેઓ ઇપીએફ યોજના, 1952ના સભ્યો છે, તેઓ નોન-રિફંડેબલ રકમને અગાઉથી ઉપાડવાનો લાભ લેવાને પાત્ર છે. ઇપીએફ યોજના, 1952માં ફકરા 68એલમાં પેટાફકરો (3) ઉમેરવામાં આવ્યો છે. સંશોધિત યોજના ઇમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ (સંશોધિત) યોજના, 2020 28મી માર્ચ, 2020થી અમલમાં આવી છે.

 

જાહેરાત પછી ઇપીએફઓએ એની પ્રાદેશિક ઓફિસોને સ્થિતિ સામે લડવામાં મદદરૂપ થવા ઇપીએફના સભ્યો પાસેથી પ્રાપ્ત કોઈ પણ અરજી પર ઝડપથી પ્રક્રિયા કરવાની સૂચના આપી છે. ઇપીએફઓએ સંચારમાં જણાવ્યું છે કે, ઇપીએફ સભ્યોના દાવાઓની પ્રક્રિયા અધિકારીઓ અને કર્મચારીઓએ તાત્કાલિક કરવી જોઈએ, જેથી સમયસર કામદારો અને તેમના પરિવારજનોને રાહત મળે તેમજ તેમને કોવિડ-19 સામે લડવામાં મદદ મળી શકે.

 

 

GP/DS



(Release ID: 1608978) Visitor Counter : 255