વેપાર અને ઉદ્યોગ મંત્રાલય

કોવિડ-19 સંબંધિત નિકાસ અથવા આયાતને લગતા પ્રશ્નો માટે DGFT દ્વારા હેલ્પડેસ્ક શરૂ કરાયું

Posted On: 26 MAR 2020 5:04PM by PIB Ahmedabad

કોવિડ-19 સંબંધિત નિકાસ અથવા આયાતને લગતા કોઇપણ પ્રશ્નોના નિવારણ માટે, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ખાતે વાણિજ્ય વિભાગમાં વિદેશ વ્યાપાર મહા નિદેશક (DGFT) દ્વારા ખાસ હેલ્પડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે. નિકાસકારો/આયાતકારો નીચે દર્શાવેલી કોઇપણ ચેનલના માધ્યમથી સીધી જ તેમની સમસ્યાઓની રજૂઆત કરી શકે છે -

Contact@DGFT પ્લેટફોર્મ (http://rla.dgft.gov.in:8100/CRS_NEW/) :

ઇમેઇલ : dgftedi[at]nic[dot]in

ટૉલ ફ્રી નંબર: 1800-111-550

RP



(Release ID: 1608387) Visitor Counter : 142