સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

નોવલ કોરોનાવાયરસ અપડેટ: નવી મુસાફરી માર્ગદર્શિકા

Posted On: 03 FEB 2020 10:24AM by PIB Ahmedabad

અગાઉ જણાવાયુ હતું એમ જ હજી પણ સુધારેલી મુસાફરી માર્ગદર્શિકા મુજબ લોકોને ચીનની મુસાફરીથી દૂર રહેવાની સલાહ છે, અને 15મી જાન્યુઆરી 2020થી ચીનમાં મુસાફરીનો ઇતિહાસ ધરાવનાર કોઈપણને જુદાં જુદાં તારવવાના રહેશે.

 

  • ચાઇનીઝ પાસપોર્ટ ધારકો માટે ઇ-વિઝા સુવિધા અસ્થાયી ધોરણે સ્થગિત કરવામાં આવી છે.

 

  • ચાઇનીઝ નાગરિકોને અગાઉ જારી કરાયેલ ઇ-વિઝા અસ્થાયી રૂપે માન્ય નથી.

 

  • ચાઈનાથી ફિજીકલ વિઝા માટે ઓનલાઇન અરજી સબમિટ કરવાની સુવિધા રદ્દ કરવામાં આવી છે.

 

  • ચીનમાં વસતા જે લોકોનેે ભારતની મુલાકાત લેવી ફરજિયાત છે એમણે બેઇજિંગમાં ભારતીય દૂતાવાસ અથવા શાંઘાઈ અથવા ગુઆંગઝુમાં આવેલા વાણિજ્ય દૂતાવાસનો સંપર્ક કરવો.

 

 

 

SD/GP/DS



(Release ID: 1601676) Visitor Counter : 210