મંત્રીમંડળ

મંત્રીમંડળે ઔદ્યોગિક સંબંધો પરની આચારસંહિતા બિલ, 2019ને સંસદમાં રજૂ કરવા માટે મંજૂરી આપી

Posted On: 20 NOV 2019 10:35PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ઔદ્યોગિક સંબંધોની આચારસંહિતા બિલ, 2019ને સંસદમાં રજૂ કરવા માટે મંજૂરી આપી હતી.

ફાયદાઃ

  • કેટલાંક મહત્વપૂર્ણ કેસોની સુનાવણી સંયુક્તપણે કરવામાં આવશે અને બાકીનાં કેસોની સુનાવણી એક સભ્ય દ્વારા થશે એ વિચાર સાથે (એક સભ્યને બદલે) બે-સભ્યનું પંચ સ્થાપિત કરવું, જેનાં પરિણામે કેસોનો નિકાલ ઝડપથી થશે.
  • હાલની જોગવાઈઓ (કર્મચારીઓની કપાત વગેરે સાથે સંબંધિત)માં સરળતાપૂર્વક ફેરફાર કરવા, જે માટે સંબંધિત સરકારની પૂર્વમંજૂરી માટે કર્મચારીઓની સંખ્યામાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન ન કરીને 100 રાખવી, પણ જાહેરનામા દ્વારા કર્મચારીઓની આ પ્રકારની સંખ્યાબદલવા માટે જોગવાઈ ઉમેરવી.
  • કર્મચારીઓની કુશળતામાં સુધારો-વધારો કરવા માટે એક ભંડોળ ઊભું કરવામાં આવશે અને સૂચિત રીતે એનો ઉપયોગ કરવામાં આવશે.
  • નિશ્ચિત મુદ્દતની રોજગારીની પરિભાષા નક્કી કરવી, આ પરિભાષાનો કોઈ નોટિસ સમયગાળા રહેશે નહીં તથા કર્મચારીઓને છૂટા કરવા પર તેમને કોઈ વળતર જોગવાઇ પણ રહેશે નહીં.
  • વિવાદોનો નિરાકરણ લાવવા માટે સરકારી અધિકારીઓને અધિકારો સુપરત કરવા, જેમાં દંડ કરવાની જોગવાઈ સામેલ છે, જેથી પંચની કામગીરીનું ભારણ ઘટશે.

પૃષ્ઠભૂમિ:

ઔદ્યોગિક સંબંધો પર આચારસંહિતાની રૂપરેખા નીચેના ત્રણ શ્રમ કાયદાઓની પ્રસ્તુત જોગવાઈઓને ભેળવીને, સરળ કરીને અને તાર્કિક બનાવ્યાં પછી તૈયાર કરવામાં આવી છે:

  1. વેપાર સંઘ ધારો, 1926
  2. ઔદ્યોગિક રોજગારી (સ્થાયી આદેશ) ધારો, 1946
  3. ઔદ્યોગિક વિવાદ ધારો, 1947

 

DS/RP



(Release ID: 1592578) Visitor Counter : 211