મંત્રીમંડળ
મંત્રીમંડળે ભારત અને માલ્દિવ્સ વચ્ચે આરોગ્ય ક્ષેત્રમાં થયેલા એમઓયુને કાર્યોત્તર મંજૂરી આપી
Posted On:
03 JUL 2019 4:41PM by PIB Ahmedabad
કેન્દ્રીય મંત્રીમંડળે પ્રજાસત્તાક ભારત અને પ્રજાસત્તાક માલ્દિવ્સ વચ્ચે 8 જૂન, 2019નાં રોજ આરોગ્ય ક્ષેત્રમાં સાથસહકાર સ્થાપિત કરવા માટે કરેલા સમજૂતીકરાર (એમઓયુ)ને કાર્યોત્તર મંજૂરી આપી છે.
આ સમજૂતી કરારમાં સાથસહકાર માટે નીચેનાં ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યાં છે: -
- મેડિકલ ડૉક્ટર્સ, અધિકારીઓ, આરોગ્ય ક્ષેત્રનાં અન્ય વ્યાવસાયિકો અને નિષ્ણાતોનું આદાનપ્રદાન અને તાલીમ;
- મેડિકલ અને આરોગ્ય ક્ષેત્રમાં સંશોધન ક્ષેત્રમાં વિકાસ;
- તબીબી ક્ષેત્ર અને તબીબી ક્ષેત્ર સાથે સંબંધિત ઉત્પાદનોનું નિયમન તેમજ આ સંબંધમાં માહિતીનું આદાનપ્રદાન;
- ચેપી અને બિનચેપી રોગો;
- ઇ-હેલ્થ અને ટેલીમેડિસિન; અને
- પારસ્પરિક નક્કી થઈ શકે એવા સાથસહકારનાં અન્ય કોઈ પણ ક્ષેત્ર.
સાથ સહકાર સ્થાપિત કરવા માટે વિસ્તૃત રૂપરેખા બનાવવા માટે એક કાર્યકારી જૂથની રચના થશે, જે આ સમજૂતી કરારનાં અમલીકરણ પર નજર રાખશે.
DK/NP/GP
(Release ID: 1576966)
Visitor Counter : 155
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam