નાગરિક ઉડ્ડયન મંત્રાલય
કાનપુરમાં ગંગા બેરેજ પાસે ટેકનામ P2006T ટ્વિન-એન્જિન એરક્રાફ્ટ દુર્ઘટનાગ્રસ્ત થયું
પોસ્ટેડ ઓન:
27 AUG 2026 2:08PM by PIB Ahmedabad
મળેલી પ્રારંભિક માહિતી મુજબ, મેસર્સ ગર્ગ એવિએશન લિમિટેડ, કાનપુર દ્વારા સંચાલિત નોંધણી સંખ્યા VT-NBV ધરાવતું ટેકનામ P2006T ટ્વિન-એન્જિન એરક્રાફ્ટ 27 ઓગસ્ટ 2026 ની બપોરે કાનપુર સિવિલ એરપોર્ટથી લગભગ 5 નોટિકલ માઈલ દૂર, ગંગા બેરેજ પાસે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.
આ એરક્રાફ્ટ કાનપુર સિવિલ એરપોર્ટના સ્થાનિક ફ્લાઇંગ એરિયામાં તાલીમ ઉડાન પર હતું. વિમાનમાં બે વ્યક્તિઓ સવાર હતા, જેમાં એક તાલીમાર્થી પાઇલટ અને એક ઇન્સ્ટ્રક્ટર હતા. આ દુર્ઘટનામાં બંનેને ઘાતક ઇજાઓ થઈ હતી.
ડાયરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) ની ત્રણ અધિકારીઓની એક ટીમ જરૂરી નિયમનકારી દેખરેખ અને સંકલન માટે સ્થળ પર પહોંચી રહી છે.
એરક્રાફ્ટ અકસ્માત તપાસ બ્યુરો (AAIB) ને જાણ કરવામાં આવી છે અને તે લાગુ નિયમો અનુસાર દુર્ઘટનાની વિગતવાર તપાસ હાથ ધરશે. તપાસ દ્વારા દુર્ઘટનાના સંજોગો અને કારણ નક્કી કરવામાં આવશે.
SM/NP/JD
(રીલીઝ આઈડી: 2304009)
મુલાકાતી સંખ્યા : 10