સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય
azadi ka amrit mahotsav

પીએમ વિશ્વકર્મા યોજનાના લાભાર્થીઓને દિલ્હીના લાલ કિલ્લા ખાતે 80મા સ્વાતંત્ર્ય દિવસ સમારોહના 'વિશેષ અતિથિ' તરીકે આમંત્રિત કરાયા


દિલ્હી-NCRના 100 લાભાર્થીઓ આ ઉજવણીમાં હાજરી આપશે

प्रविष्टि तिथि: 14 AUG 2026 10:45AM by PIB Ahmedabad

ભારત સરકારે 15 ઓગસ્ટ, 2026ના રોજ દિલ્હીના લાલ કિલ્લા ખાતે યોજાનારા 80મા સ્વાતંત્ર્ય દિવસ સમારોહના 'વિશેષ અતિથિ' તરીકે દિલ્હી-NCR ક્ષેત્રના પીએમ વિશ્વકર્મા યોજનાના 100 લાભાર્થીઓને આમંત્રિત કર્યા છે. આ લાભાર્થીઓ તેમના પતિ/પત્ની અથવા સાથીદાર સાથે આ રાષ્ટ્રીય ઉજવણીમાં હાજરી આપશે.

આ વિશેષ અતિથિઓમાં વિવિધ પરંપરાગત ક્ષેત્રોના મહિલા કારીગરોનો પણ સમાવેશ થાય છે, જે મહિલા આર્થિક સશક્તિકરણ, આજીવિકામાં વધુ ભાગીદારી અને ભારતની સમૃદ્ધ હસ્તકળા તથા સાંસ્કૃતિક વારસાને જાળવવામાં મહિલાઓની ભૂમિકાને મજબૂત કરવા તરફની યોજનાના યોગદાનને દર્શાવે છે.

લાભાર્થીઓની ઓળખ અને પ્રશંસા:

તેમની ભાગીદારીના ભાગરૂપે, પીએમ વિશ્વકર્માના લાભાર્થીઓને ભારતની પરંપરાગત હસ્તકલા અને સાંસ્કૃતિક વારસામાં તેમના યોગદાનની માન્યતા રૂપે 14 ઓગસ્ટ 2026ના રોજ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન, દિલ્હી ખાતે MSME મંત્રાલયના અધિકારીઓ સાથેની વાર્તાલાપ બાદ સન્માન અને પ્રશંસાના પ્રતીક તરીકે સ્મૃતિચિહ્ન ભેટ આપવામાં આવશે.

પીએમ વિશ્વકર્મા યોજના વિશે:

પીએમ વિશ્વકર્મા એ ભારત સરકારની એક ફ્લેગશિપ પહેલ છે જેનો ઉદ્દેશ્ય પરંપરાગત વ્યવસાયોમાં રોકાયેલા કારીગરો અને શિલ્પકારોને વ્યાપક સમર્થન પૂરું પાડવાનો છે. આ યોજના કારીગરોના સામાજિક-આર્થિક સશક્તિકરણને પ્રોત્સાહન આપવા, પરંપરાગત શિલ્પકલાને મજબૂત કરવા અને ટકાઉ આજીવિકા સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે કૌશલ્ય સુધારણા, આધુનિક સાધનો, નાણાકીય સહાય, ડિજિટલ સક્ષમતા અને માર્કેટ લિંકેજ દ્વારા સહાય પૂરી પાડે છે. આ યોજના હેઠળ 30 લાખ પરંપરાગત કારીગરો અને શિલ્પકારોની નોંધણી કરવામાં આવી છે.

ભારતના પરંપરાગત કારીગરો અને શિલ્પકારોના યોગદાનની ઉજવણી:

આમંત્રિત લાભાર્થીઓ પીએમ વિશ્વકર્મા હેઠળ આવરી લેવાયેલા 18 પરંપરાગત વ્યવસાયોનું પ્રતિનિધિત્વ કરે છે, જેમાં દરજી, સુથાર, સોની, લુહાર, તાળા બનાવવા વાળા વગેરેનો સમાવેશ થાય છે. આમંત્રિત લાભાર્થીઓએ યોજના હેઠળ ઉપલબ્ધ અન્ય સહાયક લાભો સાથે નોંધણી, મૂળભૂત કૌશલ્ય તાલીમ (Basic Skill Training) અને ટૂલકિટની જોગવાઈ સહિતના વિવિધ લાભો મેળવ્યા છે.

સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીમાં પીએમ વિશ્વકર્માના લાભાર્થીઓની ભાગીદારી એ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસામાં પરંપરાગત કારીગરો અને શિલ્પકારોના અમૂલ્ય યોગદાનની સ્વીકૃતિ છે. લાલ કિલ્લા પર તેમની ઉપસ્થિતિ તેમને 80મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્યતાના સાક્ષી બનવાની અને આ ઐતિહાસિક રાષ્ટ્રીય ઉજવણીનો હિસ્સો બનવાની તક પૂરી પાડશે.

પીએમ વિશ્વકર્મા યોજના વિશે વધુ વાંચવા માટે QR કોડ સ્કેન કરો-

 

SM/BS/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2299291) आगंतुक पटल : 18
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Punjabi , Telugu , Malayalam