આયુષ
azadi ka amrit mahotsav

કેન્દ્રીય આયુષ મંત્રી શ્રી પ્રતાપરાવ જાદવે મીરાબાઈ ચાનુ માટે અર્જુન પુરસ્કારની ભલામણ કરી


શ્રી જાદવે ચાનુની શાનદાર રમતગમતની સિદ્ધિઓની નોંધ લેતા કેન્દ્રીય રમતગમત મંત્રીને પત્ર લખ્યો

प्रविष्टि तिथि: 31 JUL 2026 4:40PM by PIB Ahmedabad

કેન્દ્રીય આયુષ રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર્) અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી શ્રી પ્રતાપરાવ ગણપતરાવ જાદવે પોતાની પહેલ પર કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાને પત્ર લખીને ભારતની પ્રખ્યાત વેટલિફ્ટર અને ઓલિમ્પિક મેડલ વિજેતા મીરાબાઈ ચાનુને આ વર્ષે પ્રતિષ્ઠિત અર્જુન પુરસ્કાર માટે વિચારણા કરવા વિનંતી કરી છે.

પોતાના પત્રમાં, કેન્દ્રીય મંત્રી શ્રી પ્રતાપરાવ જાદવે મીરાબાઈ ચાનુની અસાધારણ સિદ્ધિઓ અને ભારતીય વેટલિફ્ટિંગમાં તેમના અદ્ભુત યોગદાન પર પ્રકાશ પાડ્યો હતો. મંત્રીએ નોંધ્યું હતું કે મણિપુરની આ એથ્લેટે કોમનવેલ્થ ગેમ્સમાં પોતાના ઉત્કૃષ્ટ પ્રદર્શન દ્વારા ઇતિહાસ રચ્યો છે અને રાષ્ટ્રનું નામ રોશન કર્યું છે.

શ્રી પ્રતાપરાવ જાદવે કોમનવેલ્થ ગેમ્સની સતત આવૃત્તિઓમાં ગોલ્ડ મેડલ જીતવાના ચાનુના શાનદાર રેકોર્ડ અને આ દરેક પ્રસંગે ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવનાર એથ્લેટ તરીકેના તેમના ગૌરવનો ઉલ્લેખ કર્યો હતો. મંત્રીએ સ્નેચ, ક્લીન એન્ડ જર્ક અને ટોટલ લિફ્ટ કેટેગરીમાં તેમના રેકોર્ડબ્રેક પ્રદર્શન સહિત 48 કિગ્રા કેટેગરીમાં તેમના અસાધારણ પ્રદર્શનને પણ રેખાંકિત કર્યું હતું.

શ્રી જાદવે વધુમાં જણાવ્યું હતું કે ઓલિમ્પિક મેડલ જીતવા ઉપરાંત મીરાબાઈ ચાનુને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ અને પદ્મશ્રી સહિત દેશના કેટલાક સર્વોચ્ચ રમતગમત સન્માનોથી પહેલેથી જ સન્માનિત કરવામાં આવ્યા છે. જોકે, અર્જુન એવોર્ડ મેળવવાનું તેમનું બાળપણનું સ્વપ્ન, જે તેમણે મણિપુરના પોતાના ગામમાં તાલીમના પ્રારંભિક દિવસોથી સેવ્યું હતું, તે હજુ સુધી અપૂર્ણ રહ્યું છે.

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રીને તેમના નામાંકન પર વિચાર કરવા વિનંતી કરતા, શ્રી જાદવે વ્યક્ત કર્યું કે મીરાબાઈ ચાનુને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવા એ તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન, અસાધારણ પ્રતિભા અને ભારતીય રમતગમતમાં અમૂલ્ય યોગદાનનું યોગ્ય સન્માન બનશે.

શ્રી પ્રતાપરાવ જાદવે એ બાબત પર પણ ભાર મૂક્યો હતો કે મણિપુરના એક નાના ગામથી લઈને ભારતની સૌથી સફળ વેટલિફ્ટર્સમાંના એક બનવાની ચાનુની પ્રેરણાદાયી સફર એ તેમના સંકલ્પ, નિષ્ઠા અને સમર્પણનું પ્રમાણ છે, અને તે કરોડો યુવા ભારતીયો માટે પ્રેરણા સ્ત્રોત બની રહે છે.

SM/BS/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2292491) आगंतुक पटल : 17
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Telugu , Malayalam