પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ થાણેમાં મકાન ધરાશાયી થવાથી થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રીએ PMNRFમાંથી સહાયની જાહેરાત કરી

प्रविष्टि तिथि: 31 JUL 2026 1:08PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના થાણેમાં એક મકાન ધરાશાયી થવાથી થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે આ દુ:ખદ ઘટના વિશે સાંભળીને તેમને ખૂબ દુઃખ થયું છે. તેમણે આ દુઃખની ઘડીમાં શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે પોતાના વિચારો વ્યક્ત કર્યા અને ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી.

પ્રધાનમંત્રીએ જાહેરાત કરી કે દરેક મૃતકના નજીકના સંબંધીઓને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી 2 લાખ રૂપિયાની એક્સ ગ્રેશિયા  સહાય આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે;

"મહારાષ્ટ્રના થાણેમાં એક ઇમારત ધરાશાયી થવાથી થયેલી જાનહાનિ વિશે સાંભળીને દુઃખ થયું. આ દુઃખની ઘડીમાં મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના.

દરેક મૃતકના પરિવારને પીએમએનઆરએફ તરફથી 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે: પીએમ @narendramodi."


 


 

SM/DK/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2292276) आगंतुक पटल : 15
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Odia , Kannada , Malayalam