વેપાર અને ઉદ્યોગ મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારત સાથે દ્વિપક્ષીય વેપાર કરાર અંગેની ચર્ચા માટે રાજદૂત જેમિસન ગ્રીરના નેતૃત્વમાં અમેરિકી પ્રતિનિધિમંડળની ભારત મુલાકાત

प्रविष्टि तिथि: 24 JUN 2026 3:43PM by PIB Ahmedabad

યુનાઇટેડ સ્ટેટ્સના ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ ​​એમ્બેસેડર જેમીસન ગ્રીરના નેતૃત્વમાં એક સત્તાવાર યુએસ પ્રતિનિધિમંડળે  22-24 જૂન 2026 દરમિયાન નવી દિલ્હીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત સંતુલિત, પરસ્પર ફાયદાકારક ભારત-યુએસ દ્વિપક્ષીય વેપાર કરાર (BTA)ને આગળ વધારવા અને 7 ફેબ્રુઆરી 2026 ના સંયુક્ત નિવેદનને અનુરૂપ વચગાળાના કરારને અંતિમ સ્વરૂપ આપવા માટેના ચાલુ પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે.

એમ્બેસેડર ગ્રીરે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલ સાથે બહુવિધ તબક્કાની ચર્ચાઓ કરી હતી. બંને નેતાઓએ BTAના મુખ્ય તત્વોની વ્યાપક સમીક્ષા કરી હતી, જેમાં વધુ સારી બજાર પહોંચ, ડિજિટલ વેપાર, સપ્લાય ચેઈનની મજબૂતી, બિન-ટેરિફ અવરોધોમાં ઘટાડો અને વ્યૂહાત્મક ક્ષેત્રોમાં વિસ્તૃત સહયોગનો સમાવેશ થાય છે.

બંને પક્ષોએ તાજેતરના મહિનાઓમાં વાટાઘાટ કરનારી ટીમો દ્વારા થયેલી નોંધપાત્ર પ્રગતિની નોંધ લીધી હતી અને ક્રમિક તકનીકી તેમજ મંત્રી સ્તરની સંલગ્નતાઓથી મળેલી ગતિને આવકારી હતી. ચર્ચાઓ એક વ્યાપક BTA તરફના એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ તરીકે વચગાળાના કરારને પૂર્ણ કરવાના માર્ગો પર કેન્દ્રિત હતી. બંને પક્ષોએ એવા કરાર માટે પોતાની પ્રતિબદ્ધતા પુનઃવ્યક્ત કરી હતી જે સંતુલિત હોય, વ્યાવસાયિક રીતે અર્થપૂર્ણ હોય અને બંને દેશોના વ્યવસાયો, ખેડૂતો, કામદારો અને ગ્રાહકો માટે પ્રત્યક્ષ લાભો પ્રદાન કરે.

વૈશ્વિક વેપારની બદલાતી ગતિશીલતા વચ્ચે ભારત-યુએસ આર્થિક ભાગીદારીના વધતા મહત્વને સ્વીકારીને, બંને પક્ષોએ દ્વિપક્ષીય વેપારને વિસ્તારવા, ઇનોવેશનને પ્રોત્સાહન આપવા અને સ્થિતિસ્થાપક તેમજ વિશ્વસનીય સપ્લાય ચેઇન્સના નિર્માણના તેમના વહેંચાયેલા લક્ષ્યનો પુનરોચ્ચાર કર્યો હતો.

બંને પક્ષોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ચાલુ વાટાઘાટો આર્થિક સંબંધોને વધુ ગાઢ બનાવશે અને ભારત-યુએસ વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરશે.

SM/DK/JD


(रिलीज़ आईडी: 2277449) आगंतुक पटल : 16
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Malayalam