પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના જન્મદિવસે તેમની સાથે ઓડિશાના પહાડપુર ગામની મુલાકાત લીધી
प्रविष्टि तिथि:
20 JUN 2026 8:58PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના જન્મદિવસે તેમની સાથે ઓડિશાના પહાડપુર ગામમાં ઉપસ્થિત રહેવા બદલ તેઓ ગૌરવની લાગણી અનુભવે છે.
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે પહાડપુર એ રાષ્ટ્રપતિનું ગામ છે અને તેમણે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલું કાર્ય ખરેખર પ્રેરણાદાયી છે.
શ્રી મોદીએ રાષ્ટ્રપતિના દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરી હતી.
પ્રધાનમંત્રીએ એક્સ (X) પર લખ્યું;
“ઓડિશાના પહાડપુર ગામમાં રાષ્ટ્રપતિ જીની સાથે અને તે પણ તેમના જન્મદિવસે ઉપસ્થિત રહેવા બદલ ગૌરવ અનુભવું છું. આ તેમનું ગામ છે અને તેમણે જે કામ કર્યું છે તે ખરેખર પ્રેરણાદાયી છે.
તેમના દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરું છું. @rashtrapatibhvn”
SM/BS/JD
(रिलीज़ आईडी: 2275908)
आगंतुक पटल : 9