લોકસભા સચિવાલય
ન્યાયાધીશ તપાસ સમિતિએ માનનીય અધ્યક્ષ, લોકસભાને અહેવાલ સુપરત કર્યો
પોસ્ટેડ ઓન:
18 MAY 2026 9:31PM by PIB Ahmedabad
જસ્ટિસ શ્રી યશવંત વર્મા સામેના આક્ષેપોની તપાસ કરી રહેલી ન્યાયાધીશ તપાસ સમિતિએ આજે સંસદ ભવનમાં માનનીય અધ્યક્ષ, લોકસભા શ્રી ઓમ બિરલાને પોતાનો અહેવાલ સુપરત કર્યો હતો. ન્યાયાધીશ (તપાસ) અધિનિયમ, 1968 હેઠળની વૈધાનિક આવશ્યકતાઓ અનુસાર રજૂ કરવામાં આવેલો આ અહેવાલ, યોગ્ય સમયે સંસદના બંને ગૃહો સમક્ષ મૂકવામાં આવશે.
ન્યાયાધીશ તપાસ સમિતિના પ્રિસાઇડિંગ ઓફિસર માનનીય જસ્ટિસ અરવિંદ કુમાર, સર્વોચ્ચ અદાલત (સુપ્રિમ કોર્ટ ઓફ ઇન્ડિયા) ની સાથે બોમ્બે હાઈકોર્ટના માનનીય મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ શ્રી ચંદ્રશેખર; અને કર્ણાટક હાઈકોર્ટના વરિષ્ઠ અધિવક્તા (સિનિયર એડવોકેટ) શ્રી બી.વી. આચાર્યએ 18 મે 2026 ના રોજ સંસદ ભવનમાં લોકસભાના માનનીય અધ્યક્ષને ન્યાયાધીશ તપાસ સમિતિનો અહેવાલ રજૂ કર્યો હતો.
આ સમિતિની રચના માનનીય અધ્યક્ષ, લોકસભા દ્વારા 12 ઓગસ્ટ 2025 ના રોજ કરવામાં આવી હતી.


IJ/BS/JD
(રીલીઝ આઈડી: 2262571)
મુલાકાતી સંખ્યા : 5