પર્યાવરણ અને વન મંત્રાલય
azadi ka amrit mahotsav

MoEFCC દેશભરમાં પાંચ વિષયો આધારિત કાર્યક્રમોનું આયોજન કરશે, જે ભારતમાં જોવા મળતી બિગ કેટ (Big Cat) પ્રજાતિઓને સમર્પિત હશે


IBCA સમિટ 2026ના પૂર્વગામી તરીકે, આ કાર્યક્રમો બિગ કેટ સંરક્ષણની સિદ્ધિઓ, પડકારો અને ભારત સરકાર તથા રાજ્ય સરકારો દ્વારા કરવામાં આવેલા સહયોગાત્મક કાર્યોને પ્રદર્શિત કરશે

પોસ્ટેડ ઓન: 13 MAY 2026 11:08AM by PIB Ahmedabad

કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (MoEFCC), બિગ કેટ સંરક્ષણમાં ભારતના નેતૃત્વને રેખાંકિત કરવા અને ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ (IBCA) ના ઉદ્દેશ્યોને પ્રોત્સાહન આપવા માટે દેશભરમાં વિષયો આધારિત શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કરશે.

આ કાર્યક્રમો ભારતની પાંચ જંગલી બિગ કેટ પ્રજાતિઓ — Tiger (વાઘ), Asiatic Lion (એશિયાટિક સિંહ), Leopard (દીપડો), Snow Leopard (સ્નો લેપર્ડ) અને Cheetah (ચિત્તો) પર ધ્યાન કેન્દ્રિત કરશે અને ભારત સરકાર તથા રાજ્ય સરકારો દ્વારા કરવામાં આવેલી સંરક્ષણ સિદ્ધિઓ, પડકારો અને સહયોગાત્મક કાર્યોને પ્રદર્શિત કરશે.

વિષયો આધારિત કાર્યક્રમો નીચેના સ્થળોએ આયોજિત કરવામાં આવશે:

· એશિયાઈ સિંહ સંરક્ષણ કાર્યક્રમ - ગીર, ગુજરાત

· ચિત્તા સંરક્ષણ કાર્યક્રમ - ભોપાલ, મધ્યપ્રદેશ

· દીપડા સંરક્ષણ અને આંતરરાષ્ટ્રીય જૈવિક વિવિધતા દિવસ કાર્યક્રમ - ભુવનેશ્વર, ઓડિશા

· સ્નો લેપર્ડ સંરક્ષણ કાર્યક્રમ - ગંગટોક, સિક્કિમ

· વાઘ સંરક્ષણ કાર્યક્રમ - ચંદ્રપુર, મહારાષ્ટ્ર

આ પ્રી-સમિટ કાર્યક્રમો જાગૃતિ લાવવા, હિતધારકોની સામેલગીરી મજબૂત કરવા અને ભારત સરકારની મુખ્ય પહેલો હેઠળ ભારતની સંરક્ષણ સફળતાની વાર્તાઓ પર પ્રકાશ પાડવા માટે તૈયાર કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આહ્વાન પર ભારતના નેતૃત્વ હેઠળ કેવી રીતે IBCAની સ્થાપના થઈ છે તે પણ આ કાર્યક્રમોમાં દર્શાવવામાં આવશે.

ભારત સરકાર અને રાજ્યો દ્વારા મુખ્ય સંરક્ષણ પહેલ

1. એશિયાઈ સિંહ સંરક્ષણ કાર્યક્રમ ગીર, ગુજરાત

થીમ: ભારતની અનોખી સંરક્ષણ સફળતા

એશિયાઈ સિંહ ફક્ત ભારતમાં જ અસ્તિત્વ ધરાવે છે અને વિશ્વના સૌથી સફળ પ્રજાતિ પુનઃપ્રાપ્તિ કાર્યક્રમોમાંના એકનું પ્રતિનિધિત્વ કરે છે.

મુખ્ય પગલાં:

· લાંબા ગાળાના સંરક્ષણ અને રહેઠાણના વિસ્તરણ માટે પ્રોજેક્ટ લાયનની અમલવારી.

· વૈજ્ઞાનિક વસ્તી દેખરેખ અને રોગ સર્વેલન્સ સિસ્ટમ્સ.

· ગ્રેટર ગીર લેન્ડસ્કેપમાં રહેઠાણ સુધારણા અને શિકાર (પ્રેય) વૃદ્ધિ.

· ગીર સંરક્ષિત વિસ્તારની બહાર આસપાસના વિસ્તારોમાં સિંહોના વિતરણનો વિસ્તાર.

· સંઘર્ષ ઘટાડવા માટે બચાવ (રેસ્ક્યૂ) અને ઝડપી પ્રતિભાવ ટીમો.

· પ્રજાતિના સંરક્ષણમાં માલધારીઓ જેવા સમુદાયોની ભૂમિકા.

· સમુદાયની સામેલગીરી અને પશુધન વળતર પદ્ધતિઓ માટે ગુજરાત સરકારની પહેલ.

2. વાઘ સંરક્ષણ કાર્યક્રમ - ચંદ્રપુર, મહારાષ્ટ્ર

થીમ: ભારતના વન સંરક્ષણનું મુખ્ય મથક

ભારત વિશ્વની 70% થી વધુ જંગલી વાઘની વસ્તીનું ઘર છે અને પ્રોજેક્ટ ટાઇગર અને નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) હેઠળ સતત પ્રયાસો દ્વારા વાઘ સંરક્ષણમાં વૈશ્વિક નેતા તરીકે ઉભરી આવ્યું છે.

લેવામાં આવેલા મુખ્ય પગલાં:

· સમગ્ર દેશમાં ટાઇગર રિઝર્વનું મજબૂતીકરણ અને વિસ્તરણ.

· લેન્ડસ્કેપ-સ્તરનું સંરક્ષણ અને વન્યજીવ કોરિડોર સુરક્ષા.

· કેમેરા ટ્રેપિંગ, M-STrIPES અને AI-સક્ષમ મોનિટરિંગ સિસ્ટમ સહિત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ.

· વધારેલ એન્ટી-પોચિંગ (શિકાર વિરોધી) ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્પેશિયલ ટાઇગર પ્રોટેક્શન ફોર્સની તૈનાતી.

· કોર રહેઠાણોમાંથી સ્વૈચ્છિક ગામ સ્થળાંતર.

· ટાઇગર રિઝર્વની આસપાસ સામુદાયિક ભાગીદારી અને ઇકો-ડેવલપમેન્ટ પહેલ.

· સમુદાયો માટે વન્યજીવ પ્રવાસન અને આજીવિકાને પ્રોત્સાહન.

· કનેક્ટિવિટી સુધારવા અને માનવ-વાઘ સંઘર્ષ ઘટાડવા માટે ચંદ્રપુર સહિત વિદર્ભ લેન્ડસ્કેપમાં મહારાષ્ટ્રના કેન્દ્રિત પ્રયાસો. ચંદ્રપુર કાર્યક્રમ વાઘની સંખ્યામાં ભારતની નોંધપાત્ર વૃદ્ધિ અને રહેઠાણો તથા કોરિડોરને સુરક્ષિત કરવાના ચાલુ પ્રયાસો પર પ્રકાશ પાડશે.

દીપડો સંરક્ષણ અને આંતરરાષ્ટ્રીય જૈવિક વિવિધતા દિવસભુવનેશ્વર, ઓડિશા

થીમ: માનવ-પ્રભુત્વ ધરાવતા લેન્ડસ્કેપ્સમાં સહઅસ્તિત્વ

દીપડા ભારતમાં સૌથી વધુ વિતરિત મોટી બિલાડીઓમાંના એક છે અને ઘણીવાર માનવ વસાહતોની નજીકના વિસ્તારોમાં રહે છે.

લેવામાં આવેલા મુખ્ય પગલાં:

· માનવ-વન્યજીવ સંઘર્ષ નિવારણ કાર્યક્રમો અને ઝડપી પ્રતિભાવ ટીમો.

· બચાવ અને પુનઃવસન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું મજબૂતીકરણ.

· સહઅસ્તિત્વને પ્રોત્સાહન આપતી જાહેર જાગૃતિ ઝુંબેશ.

· ફ્રન્ટલાઈન વન કર્મચારીઓ માટે ક્ષમતા નિર્માણ.

· સંઘર્ષની સંભાવના ધરાવતા પ્રાણીઓના ટ્રેકિંગ અને દેખરેખ માટે ટેકનોલોજીનો ઉપયોગ.

· ઇકોસિસ્ટમ પુનઃસ્થાપના અને સામુદાયિક ભાગીદારી સાથે જોડાયેલ ઓડિશાની જૈવવિવિધતા સંરક્ષણ પહેલ. ભુવનેશ્વર કાર્યક્રમ, જે આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસની ઉજવણી સાથે સુસંગત છે, તે માનવ-પ્રભુત્વ ધરાવતા લેન્ડસ્કેપ્સમાં સહઅસ્તિત્વ અને જૈવવિવિધતા સંરક્ષણ પર ભાર મૂકશે.

સ્નો લેપર્ડ સંરક્ષણ - ગંગટોક, સિક્કિમ

થીમ: હિમાલયના સેન્ટીનેલ

સ્નો લેપર્ડ હિમાલયની ઇકોસિસ્ટમના સ્વાસ્થ્યના સૂચક છે અને તેઓ આબોહવા પરિવર્તન તથા રહેઠાણના વિનાશના જોખમોનો સામનો કરી રહ્યા છે.

 લેવાયેલા મુખ્ય પગલાં:

· ભારતમાં સ્નો લેપર્ડની વસ્તીનો અંદાજ (SPAI) કાર્યક્રમની અમલવારી.

· સ્થાનિક હિમાલયી સમુદાયોને સામેલ કરતું સામુદાયિક સંરક્ષણ.

· ટકાઉ આજીવિકા અને ઇકો-ટૂરિઝમને પ્રોત્સાહન.

· ઊંચાઈવાળા રહેઠાણો અને શિકાર પ્રજાતિઓનું સંરક્ષણ.

· હિમાલયના લેન્ડસ્કેપ્સમાં આબોહવા-સ્થિતિસ્થાપક સંરક્ષણ આયોજન.

· સીમાપાર સંરક્ષણ પહેલ માટે હિમાલયના રાજ્યો સાથે સહયોગ.

ગંગટોક કાર્યક્રમ નાજુક પર્વતીય ઇકોસિસ્ટમના સંરક્ષણ અને સ્નો લેપર્ડના રક્ષણમાં સ્થાનિક સમુદાયોની ભૂમિકા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

ચિત્તા સંરક્ષણ ભોપાલ, મધ્યપ્રદેશ

થીમ: ભારતના ઘાસના મેદાનો પરના ઇકોસિસ્ટમ્સને પુનઃસ્થાપિત કરવા

ભારતે પ્રોજેક્ટ ચિત્તા હેઠળ મોટા માંસાહારી પ્રાણીઓ માટે વિશ્વનો પ્રથમ આંતરખંડીય સ્થાનાંતરણ પ્રોજેક્ટ શરૂ કર્યો છે.

લેવાયેલા મુખ્ય પગલાં:

· નામીબિયા અને દક્ષિણ આફ્રિકાથી મધ્યપ્રદેશના યોગ્ય રહેઠાણોમાં ચિત્તાઓનું પુનઃપ્રવેશ.

· શિકારના આધાર અને ઘાસના મેદાનોની ઇકોસિસ્ટમનો વિકાસ

· સેટેલાઇટ કોલર અને નિષ્ણાત મેનેજમેન્ટ પ્રોટોકોલ દ્વારા વૈજ્ઞાનિક દેખરેખ.

· ફિલ્ડ સ્ટાફ અને પશુચિકિત્સા ટીમોનું ક્ષમતા નિર્માણ.

· લાંબા ગાળાના રહેઠાણ વ્યવસ્થાપન અને વિસ્તરણ આયોજન.

· રિલીઝ લેન્ડસ્કેપ્સની આસપાસ સામુદાયિક આઉટરીચને મજબૂત બનાવવી.

ભોપાલ કાર્યક્રમ ચિત્તાઓને પુનઃસ્થાપિત કરવા અને ઘાસના મેદાનોની ઇકોસિસ્ટમને પુનઃજીવિત કરવાના ભારતના અગ્રણી પ્રયાસો પર પ્રકાશ પાડશે.

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ (IBCA)

ભારત દ્વારા શરૂ કરવામાં આવેલ ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સનો ઉદ્દેશ્ય વિશ્વભરમાં સાત મુખ્ય બિગ કેટ પ્રજાતિઓના સંરક્ષણ માટે વૈશ્વિક સહયોગને મજબૂત કરવાનો છે. વિષયો આધારિત કાર્યક્રમો નીચેના પ્લેટફોર્મ તરીકે સેવા આપશે:

· બિગ કેટ સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરતી આ પ્રકારની પ્રથમ વૈશ્વિક સમિટ પર પ્રકાશ પાડવો.

· વૈશ્વિક સહયોગને પ્રોત્સાહન આપવું.

· સંરક્ષણ જ્ઞાન શેર કરવું.

· નીતિગત પહેલો પર પ્રકાશ પાડવો.

· જાહેર જાગૃતિ વધારવી, અને

· વન્યજીવ સંરક્ષણમાં ભારતના નેતૃત્વને મજબૂત બનાવવું.

આ કાર્યક્રમોનું આયોજન પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા રાજ્ય વન વિભાગો, NTCA, વાઈલ્ડલાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા, નેશનલ બાયોડાયવર્સિટી ઓથોરિટી, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેસ્ટ મેનેજમેન્ટ અને અન્ય હિતધારકોના સંકલન સાથે કરવામાં આવી રહ્યું છે.

 

IJ/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2260530) મુલાકાતી સંખ્યા : 50