ગ્રામીણ વિકાસ મંત્રાલય
azadi ka amrit mahotsav

ગ્રામીણ વિકાસ મંત્રાલયે પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે ગ્રામીણ યોજનાઓની સુરક્ષા માટે સજ્જતા મજબૂત કરી


વૈશ્વિક અનિશ્ચિતતાઓ છતાં અવિરત રોજગાર, ભંડોળનો સમયસર પ્રવાહ, આવાસ નિર્માણ, ગ્રામીણ રસ્તાઓ અને આજીવિકા સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું

પોસ્ટેડ ઓન: 20 APR 2026 4:15PM by PIB Ahmedabad

ગ્રામીણ વિકાસ મંત્રાલયે પશ્ચિમ એશિયામાં વિકસતી પરિસ્થિતિ અને વૈશ્વિક સપ્લાય ચેઇન, કોમોડિટીના ભાવ અને ફુગાવાના વલણો પર તેની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને દેશભરમાં મુખ્ય ગ્રામીણ કલ્યાણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર કાર્યક્રમોનું અવિરત અમલીકરણ સુનિશ્ચિત કરવા માટે સજ્જતાના પગલાંની વ્યાપક સમીક્ષા હાથ ધરી છે.

મંત્રાલય ગ્રામીણ આજીવિકા, આવાસ નિર્માણ, માર્ગ વિકાસ અને વોટરશેડ પ્રવૃત્તિઓ પર પરોક્ષ અસરો પાડી શકે તેવા વિકાસ પર બારીકાઈથી નજર રાખી રહ્યું છે, અને લાભોની સાતત્યતા, સમયસર ભંડોળનો પ્રવાહ અને ચાલી રહેલી યોજનાઓના સુગમ અમલીકરણને જાળવી રાખવા માટે સક્રિય પદ્ધતિઓ ગોઠવી છે.

રોજગાર સુરક્ષા અને વેતન સહાય

સૂચિત VB-G RAM G એક્ટ, 2025ના પ્રારંભ સુધી મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (MGNREGA), 2005 સંપૂર્ણ રીતે કાર્યરત રહેશે. ગ્રામીણ પરિવારોને વેતન રોજગારીની જોગવાઈમાં કોઈ વિક્ષેપ પડશે નહીં.

માંગ-આધારિત રોજગાર અને સમયસર વેતન ચૂકવણી સહિતના તમામ વૈધાનિક હકો કોઈ પણ પ્રકારના ઘટાડા વગર સંપૂર્ણ રીતે અમલમાં રહેશે. હાલના કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત વેતન દરો લાગુ રહેશે.

પર્યાપ્ત પ્રવાહિતા જાળવવા અને વેતનની અવિરત વહેંચણી સુનિશ્ચિત કરવા માટે, MGNREGA હેઠળ વેતન ઘટક પેટે પ્રથમ હપ્તા તરીકે આશરે ₹17,744 કરોડ મુક્ત કરવામાં આવી રહ્યા છે.

અમલીકરણ થયા પછી, સૂચિત VB-G RAM G એક્ટમાં વેતન રોજગારની 125 દિવસની ઉન્નત ગેરંટી પૂરી પાડવાની અપેક્ષા છે, જેના સુધારેલા વેતન દરો અલગથી સૂચિત કરવામાં આવશે.

સપ્લાય ચેઇનના પડકારો માટે આવાસ કાર્યક્રમ તૈયાર

ગ્રામીણ વિસ્તારોમાં "સૌ માટે આવાસ" ના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે, મંત્રાલય માર્ચ 2029 સુધીમાં 4.95 કરોડ મકાનોના નિર્માણ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ (PMAY-G) અમલમાં મૂકી રહ્યું છે.

સામગ્રીના પુરવઠામાં સંભવિત વિક્ષેપ અથવા ભાવની વધઘટ સામે સજ્જતાના પગલા તરીકે, મંત્રાલય સમયસર ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મુક્ત કરવા, AwaasSoft દ્વારા રીઅલ-ટાઇમ મોનિટરિંગ, જીઓ-ટેગિંગ અને ચાલી રહેલા મકાનોને ઝડપથી પૂર્ણ કરવાને પ્રાથમિકતા આપી રહ્યું છે.

માનવદિન, સ્વચ્છતા, પીવાનું પાણી, એલપીજી અને વીજળી દ્વારા મજબૂત કન્વર્જન્સ સપોર્ટ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યો છે જેથી લાભાર્થીઓને મૂળભૂત સુવિધાઓનું સંપૂર્ણ પેકેજ પ્રાપ્ત થાય.

ભવિષ્યમાં બજારની અસ્થિરતા સામે સ્થિતિસ્થાપકતા વધારવા માટે મટીરીયલ બેંકોની રચના જેવા માળખાકીય પગલાં પણ પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.

એડવાન્સ પ્લાનિંગ દ્વારા ગ્રામીણ માર્ગ કાર્યક્રમ સુરક્ષિત

PMGSY હેઠળ, રાજ્યો દ્વારા સૂચિત વર્તમાન શિડ્યુલ ઓફ રેટ્સ (Schedule of Rates) મુજબ કામો મંજૂર કરવામાં આવે છે.

PMGSY-I, II, III અને ડાબેરી ઉગ્રવાદ પ્રભાવિત વિસ્તારો માટેના રોડ કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સ હેઠળના તમામ મંજૂર કામો ટેન્ડર પ્રક્રિયામાં છે અથવા અમલીકરણ હેઠળ છે.

PMGSY-IV હેઠળ, આશરે 12,100 કિમીના રસ્તાના કામો મંજૂર કરવામાં આવ્યા છે અને હાલમાં ટેન્ડરિંગ તબક્કે છે. વર્તમાનમાં, વૈશ્વિક અસ્થિરતા સામેનું જોખમ મર્યાદિત છે, કારણ કે કુલ પ્રોજેક્ટ ખર્ચમાં બિટ્યુમેન (ડામર)નો હિસ્સો પ્રમાણમાં ઓછો છે.

ભવિષ્યના પ્રોજેક્ટ બેચનું મૂલ્યાંકન પ્રવર્તમાન બજારની સ્થિતિ અને ખર્ચના વલણોને પ્રતિબિંબિત કરવા માટે અપડેટ કરેલા શિડ્યુલ ઓફ રેટ્સનો ઉપયોગ કરીને કરવામાં આવશે.

કૃષિ અને કુદરતી સંસાધન સ્થિતિસ્થાપકતાને મજબૂત બનાવવી

જમીન સંસાધન વિભાગ જળ સંરક્ષણ, કૃષિ સઘનતા, બાગાયત અને ગોચર વિકાસને મજબૂત કરવા માટે 50 લાખ હેક્ટર વિસ્તારમાં WDC-PMKSY (વોટરશેડ ડેવલપમેન્ટ કમ્પોનન્ટ - પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના) 2.0 અમલમાં મૂકી રહ્યો છે.

વિભાગ કોઈપણ ઉભરતી પરિસ્થિતિને પહોંચી વળવા અને યોજનાઓનું સુગમ અમલીકરણ સુનિશ્ચિત કરવા માટે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય અને અન્ય હિતધારક મંત્રાલયો સાથે ગાઢ સંકલનમાં રહીને કામ કરી રહ્યો છે.

SM/BS/JD


(રીલીઝ આઈડી: 2253797) મુલાકાતી સંખ્યા : 20