સહકાર મંત્રાલય
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે સારસ્વત સહકારી બેંક અને અમૂલને વર્ષ 2025-26માં વાર્ષિક ₹1 લાખ કરોડના ટર્નઓવરને પાર કરવા બદલ અભિનંદન પાઠવ્યા
આ સિદ્ધિ સહકારી બેંકિંગ અને ડેરી ક્ષેત્ર માટે ઐતિહાસિક છે અને આત્મનિર્ભર ભારત નિર્માણની યાત્રામાં નવી ઊર્જાનો સંચાર કરશે
પોસ્ટેડ ઓન:
07 APR 2026 12:35PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે 2025-26માં ₹1 લાખ કરોડ વાર્ષિક ટર્નઓવરનો આંકડો પાર કરવા બદલ સારસ્વત સહકારી બેંક અને અમૂલને અભિનંદન આપ્યા છે.
X પર પ્રકાશિત એક પોસ્ટમાં, શ્રી અમિત શાહે કહ્યું, “2025-26માં ₹1 લાખ કરોડ વાર્ષિક ટર્નઓવરનો આંકડો પાર કરવા બદલ સારસ્વત સહકારી બેંક અને અમૂલ સહકારી શક્તિ અને તેમની અપાર ક્ષમતાનું જીવંત ઉદાહરણ છે. આ સિદ્ધિ સહકારી બેંકિંગ અને ડેરી ક્ષેત્ર માટે માત્ર ઐતિહાસિક જ નથી, પરંતુ આત્મનિર્ભર ભારત નિર્માણની યાત્રામાં નવી ઊર્જાનો સંચાર પણ કરશે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ માટે અમૂલ અને સારસ્વત સહકારી બેંક સાથે સંકળાયેલા તમામ કાર્યકરોને હાર્દિક અભિનંદન.”
SM/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2249578)
મુલાકાતી સંખ્યા : 19