ચૂંટણી આયોગ
azadi ka amrit mahotsav

સામાન્ય ચૂંટણીઓ અને પેટાચૂંટણીઓ 2026: જપ્તીનો આંકડો 400 કરોડ રૂપિયાને વટાવી ગયો

પોસ્ટેડ ઓન: 26 MAR 2026 3:04PM by PIB Ahmedabad
  1. ભારતના ચૂંટણી પંચ (ECI) 15 માર્ચ, 2026 ના રોજ આસામ, કેરળ, પુડુચેરી, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળની વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ અને 6 રાજ્યોમાં પેટાચૂંટણીઓ માટેના કાર્યક્રમની જાહેરાત કરી હતી. પંચે રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશની સરકારોને આદર્શ આચારસંહિતા (MCC) ના ચુસ્ત પાલનની ખાતરી કરવા નિર્દેશ આપ્યો છે.
  2. યાદ અપાવી શકાય કે, પંચે 24 માર્ચ, 2026 ના રોજ ચૂંટણી યોજાનાર 5 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને તેમની સરહદ ધરાવતા 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો, CEOs, DGPs અને વરિષ્ઠ અધિકારીઓ સાથે અમલીકરણ એજન્સીઓના વડાઓ સાથે સજ્જતાની સમીક્ષા કરવા, સંકલન વધારવા માટે સમીક્ષા બેઠક યોજી હતી અને તેમને હિંસા મુક્ત, ડર મુક્ત અને પ્રલોભન મુક્ત ચૂંટણીઓ સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો હતો.
  3. આ સુનિશ્ચિત કરવા માટે, રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 5,173 થી વધુ ફ્લાઈંગ સ્ક્વોડ તૈનાત કરવામાં આવ્યા છે જેથી ફરિયાદોનો નિકાલ 100 મિનિટની અંદર કરવામાં આવે તેની ખાતરી કરી શકાય. આ ઉપરાંત, વિવિધ સ્થળોએ આકસ્મિક નાકાબંધી ગોઠવવા માટે 5,200 થી વધુ સ્ટેટિક સર્વેલન્સ ટીમ્સ (SSTs) પણ તૈનાત કરવામાં આવી છે.
  4. 26 ફેબ્રુઆરીએ ઈલેક્ટ્રોનિક સીઝર મેનેજમેન્ટ સિસ્ટમ (ESMS) ના સક્રિયકરણથી લઈને 25 માર્ચ, 2026 સુધીમાં, વિવિધ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં બહુ-અમલીકરણ એજન્સીઓના સંકલિત અભિગમ દ્વારા 408.82 કરોડ રૂપિયાથી વધુની ગેરકાયદેસર પ્રલોભન સામગ્રી જપ્ત કરવામાં આવી છે, જેમાં 17.44 કરોડ રૂપિયા રોકડ, 37.68 કરોડ રૂપિયાની કિંમતનો દારૂ (16.3 લાખ લીટર), 167.38 કરોડ રૂપિયાના ડ્રગ્સ, 23 કરોડ રૂપિયાની કિંમતી ધાતુઓ અને 163.30 કરોડ રૂપિયાથી વધુની અન્ય ભેટ-સોગાદોનો સમાવેશ થાય છે.
  5. પંચે એ વાત પર પણ ભાર મૂક્યો છે કે અમલીકરણ અધિકારીઓએ સુનિશ્ચિત કરવું જોઈએ કે આ નિર્દેશોના અમલીકરણ માટે તપાસ અને નિરીક્ષણ દરમિયાન સામાન્ય નાગરિકોને અસુવિધા કે હેરાનગતિ ન થાય. આ સંબંધમાં કોઈપણ ફરિયાદોના નિવારણ માટે જિલ્લા ફરિયાદ સમિતિઓની પણ રચના કરવામાં આવી છે.
  6. નાગરિકો/રાજકીય પક્ષો ECINET પર C-Vigil મોડ્યુલ નો ઉપયોગ કરીને આચારસંહિતા ભંગની જાણ કરી શકે છે.
  7. 15 માર્ચથી 25 માર્ચ સુધીમાં, સામાન્ય ચૂંટણીઓ અને પેટાચૂંટણીઓ ધરાવતા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં C-Vigil એપ નો ઉપયોગ કરીને 70,944 ફરિયાદો નોંધવામાં આવી છે. આમાંથી 70,831 નો નિકાલ કરવામાં આવ્યો છે અને 67,899 ફરિયાદો એટલે કે 95.8% ફરિયાદોનો 100 મિનિટની અંદર ઉકેલ લાવવામાં આવ્યો હતો.
  8. ફરિયાદ નિવારણ પ્રણાલીની સ્થાપના કરવામાં આવી છે જેમાં કોલ સેન્ટર નંબર 1950 નો સમાવેશ થાય છે, જેમાં જનતાના કોઈપણ સભ્ય અથવા રાજકીય પક્ષ દ્વારા સંબંધિત DEO/RO પાસે ફરિયાદ નોંધાવી શકાય છે.

SM/BS/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2245657) મુલાકાતી સંખ્યા : 14