પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ સંસ્કૃત સુભાષિત શેર કર્યું, જે મા ચંદ્રઘંટાની દૈવી અને પરોપકારી કૃપાને ઉજાગર કરે છે

પોસ્ટેડ ઓન: 21 MAR 2026 8:05AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મા ચંદ્રઘંટાની દૈવી અને પરોપકારી કૃપાને ઉજાગર કરતું સંસ્કૃત સુભાષિત શેર કર્યુ છે.

પ્રધાનમંત્રીએ મા ચંદ્રઘંટાના ચરણોમાં હૃદયપૂર્વક પ્રણામ કર્યા અને પ્રાર્થના કરી કે શક્તિ અને શાંતિના પ્રતીક માતા દેવી, બધા ભક્તો પર પોતાના અનંત આશીર્વાદ વરસાવતા રહે. શ્રી મોદીએ કહ્યું કે તેઓ માના આશીર્વાદની ઇચ્છા રાખે છે, જેથી તે દરેક વ્યક્તિને સમૃદ્ધ અને આશીર્વાદિત જીવન જીવવા માટે સશક્ત બનાવે.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું:

"મા ચંદ્રઘંટાને વંદન! હું દેવી માતાને પ્રાર્થના કરું છું કે તે દરેકને મજબૂત, સમૃદ્ધ અને ધન્ય જીવન આપે."

पिण्डजप्रवरारूढा चण्डकोपास्त्रकैर्युता

प्रसादं तनुते मह्यं चन्द्रघण्टेति विश्रुता॥"

મા ચંદ્રઘંટા કે જેઓ સિંહ પર વિરાજમાન છે અને શક્તિશાળી અસ્ત્રો-શસ્ત્રો ધારણ કરે છે, અમારા પર તમારી કૃપા વરસાવો અને અમારાથી પ્રસન્ન રહો.

 

SM/NK/GP/JT

`

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2243249) મુલાકાતી સંખ્યા : 18