રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ભારતના રાષ્ટ્રપતિએ શેગાંવ ખાતે નેશનલ આરોગ્ય મેળા 2026નું ઉદ્ઘાટન કર્યું


આયુષ ચિકિત્સા પદ્ધતિઓએ નાગરિકોના સ્વાસ્થ્યમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

પોસ્ટેડ ઓન: 25 FEB 2026 2:26PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (25 ફેબ્રુઆરી, 2026) મહારાષ્ટ્રના બુલઢાણાના શેગાંવમાં નેશનલ આરોગ્ય મેળા 2026નું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે આયુષ આરોગ્ય સંભાળના ક્ષેત્રમાં મહત્વનું યોગદાન આપનાર છ વરિષ્ઠ વૈદ્યોનું સન્માન પણ કર્યું હતું.

આ અવસર પર રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં કહ્યું કે આપણી પરંપરામાં સર્વાંગી સ્વાસ્થ્યને સૌથી મોટું સુખ માનવામાં આવે છે. સ્વસ્થ નાગરિકો દેશને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આયુષ ચિકિત્સા પદ્ધતિઓએ નાગરિકોના સ્વાસ્થ્યમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. યોગ, આયુર્વેદ અને સિદ્ધ જેવી પદ્ધતિઓ આધુનિક ચિકિત્સાના ઉદય પહેલાથી જ લોકોની સેવા કરી રહી છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે આપણા ખેતરો, રસોડા અને જંગલોમાં ઔષધીય છોડ અને સ્વાસ્થ્ય રક્ષક જડીબુટ્ટીઓનો અમૂલ્ય ખજાનો રહેલો છે. આ મૂલ્યવાન સંપત્તિનું સંરક્ષણ અને સંવર્ધન દવાઓ માટે કાચો માલ પૂરો પાડવા અને પર્યાવરણીય સંતુલન જાળવવા માટે અત્યંત મહત્વનું છે. ઔષધીય છોડની ખેતી કરવાથી માત્ર ખેડૂતોની આર્થિક સ્થિતિ જ સુધરે છે એટલું જ નહીં પરંતુ જમીનનું સ્વાસ્થ્ય અને સંરક્ષણમાં પણ ફાળો આપે છે. તેથી, આયુષ પ્રણાલીઓને પ્રોત્સાહન આપવાથી લોકોના શારીરિક અને આર્થિક સ્વાસ્થ્યમાં સુધારો તો થાય જ છે સાથે સાથે તે પર્યાવરણના સંરક્ષણને પણ ટેકો આપે છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે આયુર્વેદ, યોગ અને અન્ય આયુષ પ્રણાલીઓ સ્વસ્થ અને સંતુલિત જીવન જીવવા માટે માર્ગદર્શન આપે છે. આજે વિશ્વ રોગ નિવારણમાં સંકલિત ચિકિત્સા (ઇન્ટિગ્રેટિવ મેડિસિન) ના મહત્વને સ્વીકારી રહ્યું છે. વિશ્વભરના લોકો તણાવમુક્ત અને સ્વસ્થ જીવનશૈલી માટે યોગ અપનાવી રહ્યા છે અને આયુર્વેદિક સારવાર અને દવાઓનો લાભ લઈ રહ્યા છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે પુરાવા-આધારિત સંશોધન, દવાઓનું માનકીકરણ અને ગુણવત્તા નિયંત્રણ જેવા પગલાં આયુષ પ્રણાલીઓની ઓળખ અને સ્વીકૃતિમાં વધુ વધારો કરશે. તેમને એ જાણીને પ્રસન્નતા વ્યક્ત કરી કે  આયુષ મંત્રાલય આ દિશામાં સતત પ્રયત્નશીલ છે. આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર સંશોધન અને દવાની બનાવટ માટે સામાન્ય માર્ગદર્શિકા સ્થાપિત કરવામાં આવી છે. આયુર્વેદ, યોગ અને અન્ય આયુષ પ્રણાલીઓને આધુનિક સ્વાસ્થ્ય પડકારોના વિશ્વસનીય, વૈજ્ઞાનિક ઉકેલો તરીકે સ્થાપિત કરવા માટે અસંખ્ય વૈજ્ઞાનિક પ્રયાસો ચાલુ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આધુનિક વૈજ્ઞાનિક દરમિયાનગીરીઓ, નવીનતાઓ અને વૈશ્વિક સહયોગ દ્વારા પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓને વધુ સુલભ અને લોકપ્રિય બનાવીને, આપણે તેમને સર્વગ્રાહી આરોગ્ય સંભાળ પ્રણાલીનો અભિન્ન ભાગ બનાવવામાં સફળ થઈશું.

રાષ્ટ્રપતિના સંબોધન માટે કૃપા કરીને અહીં ક્લિક કરો-

SM/DK/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2232647) મુલાકાતી સંખ્યા : 30