પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ મહાન સમાજ સુધારક શ્રી સંત સેવાલાલ મહારાજને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

પોસ્ટેડ ઓન: 15 FEB 2026 2:49PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહાન સમાજ સુધારક શ્રી સંત સેવાલાલ મહારાજની જન્મજયંતિ પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. “સત્ય, અહિંસા અને ઉચ્ચ નૈતિક મૂલ્યોનો સંદેશ ફેલાવીને તેમણે સમાજમાં નવી ચેતના જગાડી. તેમનું પ્રેરણાદાયી જીવન દેશના લોકોને હંમેશ માટે માર્ગદર્શન આપતું રહેશે”, તેમ શ્રી મોદીએ જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“મહાન સમાજ સુધારક શ્રી સંત સેવાલાલ મહારાજને તેમની જયંતિ પર શત-શત નમન. સત્ય, અહિંસા અને ઉચ્ચ નૈતિક મૂલ્યોનો સંદેશ આપીને તેમણે સમાજમાં નવચેતનાનો સંચાર કર્યો. તેમનું પ્રેરણાદાયી જીવન સદૈવ દેશવાસીઓનું માર્ગદર્શન કરતું રહેશે.

જય સેવાલાલ!”

 

SM/IJ/GP/JD


(રીલીઝ આઈડી: 2228418) મુલાકાતી સંખ્યા : 10