પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મહર્ષિ દયાનંદ સરસ્વતીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
પોસ્ટેડ ઓન:
12 FEB 2026 10:17AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શ્રી મોદીએ જણાવ્યું હતું કે તેમણે માત્ર શિક્ષણને પ્રોત્સાહન આપવામાં જ નહીં પરંતુ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને સમૃદ્ધ બનાવવામાં પણ અપ્રતિમ યોગદાન આપ્યું છે. "સામાજિક સુધારણા માટેના તેમના પ્રયાસો દેશના લોકો માટે પ્રેરણાના સ્ત્રોત તરીકે સેવા આપતા રહેશે," એમ શ્રી મોદીએ ઉમેર્યું.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"ભારત માતાને પોતાનું જીવન સમર્પિત કરનાર મહર્ષિ દયાનંદ સરસ્વતીજીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ. તેમણે શિક્ષણને પ્રોત્સાહન તેમજ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના સંવર્ધનમાં અજોડ યોગદાન આપ્યું. સામાજિક સુધારણા માટેના તેમના પ્રયાસો દેશવાસીઓ માટે પ્રેરણાના સ્ત્રોત બની રહેશે."
SM/IJ/GP/BS
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2226777)
મુલાકાતી સંખ્યા : 22
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam