પ્રધાનમંત્રીનું કાર્યાલય
મલેશિયામાં બિઝનેસ લીડર્સ સાથે પ્રધાનમંત્રીની બેઠક
પોસ્ટેડ ઓન:
08 FEB 2026 2:50PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મલેશિયાના ચાર અગ્રણી ઉદ્યોગ સાહસિકો સાથે વાતચીત કરી હતી. તેઓ PETRONAS ના પ્રમુખ અને ગ્રુપ CEO ટેન શ્રી તેંગકુ મુહમ્મદ તૌફિક; Berjaya Corporation Berhadના સ્થાપક ટેન શ્રી દાતો સેરી વિન્સેન્ટ ટેન ચી યીઉન; Khazanah Nasional Berhad ના મેનેજિંગ ડિરેક્ટર દાતો અમીરુલ ફૈઝલ વાન ઝાહિર; અને Phison Electronics ના સ્થાપક દાતો પુઆ ખેઈન સેંગને મળ્યા હતા.
પ્રધાનમંત્રીએ ભારત અને મલેશિયા વચ્ચે વધતા જતા B2B (બિઝનેસ-ટુ-બિઝનેસ) જોડાણો અને ભારતીય વિકાસની ગાથામાં મલેશિયન કંપનીઓના ઊંડા રસની પ્રશંસા કરી હતી. તેમણે વ્યાપાર કરવાની સરળતા (ease-of-doing-business) ને પ્રોત્સાહન આપવા અને સ્થિર, કાર્યક્ષમ તથા અનુમાનિત વ્યાપાર અને નીતિ વિષયક વાતાવરણ ઊભું કરવા માટે તાજેતરના વર્ષોમાં ભારતમાં લેવામાં આવેલી પહેલો અને કરવામાં આવેલા સુધારાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે મલેશિયાના વ્યવસાયોને ભારત દ્વારા ઓફર કરવામાં આવતી તકો શોધવા માટે પ્રોત્સાહિત કર્યા, ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પુનઃપ્રાપ્ય ઊર્જા, ડિજિટલ ટેકનોલોજી, સેમિકન્ડક્ટર્સ, AI અને હેલ્થકેર જેવા ક્ષેત્રોમાં. આ સંબંધમાં, પ્રધાનમંત્રીએ 07 ફેબ્રુઆરી, 2026 ના રોજ કુઆલાલમ્પુર ખાતે 10 મી ભારત-મલેશિયા CEO ફોરમના આયોજનની પ્રશંસા કરી હતી અને આશા વ્યક્ત કરી હતી કે તેની ચર્ચાઓ ભારત-મલેશિયા વેપાર અને રોકાણ સંબંધોને વધુ ગાઢ બનાવશે.
ઉદ્યોગ સાહસિકોએ ભારત સરકાર દ્વારા 'વિકસિત ભારત' બનાવવા માટે હાથ ધરવામાં આવેલા સુધારાઓની પ્રશંસા કરી અને ભારતીય વિકાસની ગાથામાં મજબૂત વિશ્વાસ વ્યક્ત કર્યો. તેઓએ તેમના રોકાણ પોર્ટફોલિયોને વિસ્તૃત કરીને અને ભારતીય સમકક્ષો સાથે સંયુક્ત સાહસો (joint ventures) શોધીને ભારતમાં તેમની વ્યાપાર હાજરી વધારવા માટે આતુરતા દર્શાવી હતી.
SM/NP/GP/JD
(રીલીઝ આઈડી: 2225138)
મુલાકાતી સંખ્યા : 10