પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મદીના અકસ્માતમાં ભારતીય નાગરિકોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો
Posted On:
17 NOV 2025 12:27PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયાના મદીનામાં થયેલા અકસ્માતમાં ભારતીય નાગરિકોના મૃત્યુ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે પોતાના પ્રિયજનો ગુમાવનારાઓના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે રિયાધમાં ભારતીય દૂતાવાસ અને જેદ્દાહમાં કોન્સ્યુલેટ જનરલ અસરગ્રસ્ત વ્યક્તિઓને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડી રહ્યા છે. તેમણે એ પણ માહિતી આપી કે ભારતીય અધિકારીઓ જરૂરી સહાય અને સંકલન સુનિશ્ચિત કરવા માટે સાઉદી અરેબિયાના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે.
પ્રધાનમંત્રીએ X પર લખ્યું;
"મદીનામાં ભારતીય નાગરિકો સાથે થયેલા અકસ્માતથી મને ખૂબ જ દુઃખ થયું છે. મારા સંવેદના એ પરિવારો સાથે છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. હું બધા ઘાયલોની ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. રિયાધમાં આપણા દૂતાવાસ અને જેદ્દાહમાં કોન્સ્યુલેટ જનરલ શક્ય તમામ સહાય પૂરી પાડી રહ્યા છે. આપણાં અધિકારીઓ સાઉદી અરેબિયાના અધિકારીઓ સાથે પણ સતત સંપર્કમાં છે."
SM/DK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2190730)
Visitor Counter : 19