પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ બંધકોની મુક્તિનું સ્વાગત કર્યું, પ્રદેશમાં શાંતિ લાવવા માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિષ્ઠાવાન પ્રયાસોને સમર્થન આપ્યું

પોસ્ટેડ ઓન: 13 OCT 2025 7:19PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બે વર્ષથી વધુ સમય કેદમાં રહ્યા પછી તમામ બંધકોની મુક્તિનું સ્વાગત કર્યું. તેમણે કહ્યું કે તેમની મુક્તિ તેમના પરિવારોની હિંમત, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અતૂટ શાંતિ પ્રયાસો અને પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂના દૃઢ નિશ્ચયનું પરિણામ છે.

શ્રી મોદીએ પ્રદેશમાં શાંતિ લાવવા માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિષ્ઠાવાન પ્રયાસોને પણ સમર્થન આપ્યું.

X પર એક પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું:

"અમે બે વર્ષથી વધુ સમય કેદમાં રહ્યા પછી તમામ બંધકોની મુક્તિનું સ્વાગત કરીએ છીએ. તેમની મુક્તિ તેમના પરિવારોની હિંમત, રાષ્ટ્રપતિ ટ્રમ્પના અતૂટ શાંતિ પ્રયાસો અને પ્રધાનમંત્રી નેતન્યાહૂના દૃઢ નિશ્ચયનું પ્રતીક છે. અમે પ્રદેશમાં શાંતિ લાવવા માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિષ્ઠાવાન પ્રયાસોને સમર્થન આપીએ છીએ.

@POTUS

@realDonaldTrump

@netanyahu"

SM/IJ/GP/JD


(રીલીઝ આઈડી: 2178657) મુલાકાતી સંખ્યા : 88