પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી મોદી અને યુએઈના રાષ્ટ્રપતિ મહામહિમ મોહમ્મદ બિન ઝાયેદે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો
પોસ્ટેડ ઓન:
31 JUL 2025 12:32PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ, મહામહિમ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન સાથે ટેલિફોન પર વાત કરી હતી.
બંને નેતાઓએ ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે દ્વિપક્ષીય વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે તેમની પરસ્પર પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે દ્વિપક્ષીય સહયોગના વિવિધ ક્ષેત્રોમાં થયેલી નોંધપાત્ર પ્રગતિનું સકારાત્મક મૂલ્યાંકન કર્યું અને બંને દેશોના લોકોના પરસ્પર લાભ માટે સહયોગને વધુ વિકસાવવા અને ગાઢ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
ભારતના ઇતિહાસમાં બીજા સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા પ્રધાનમંત્રી બનવા બદલ મહામહિમ શેખ મોહમ્મદે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને હાર્દિક અભિનંદન આપ્યા અને રાષ્ટ્રની સેવામાં તેમની સતત સફળતાની કામના કરી હતી.
પ્રધાનમંત્રીએ તેમની શુભેચ્છાઓ અને ભારતના લોકો દ્વારા વ્યક્ત કરાયેલા પ્રેમ બદલ મહામહિમનો આભાર માન્યો હતો.
A/IJ/GP/JT
(રીલીઝ આઈડી: 2150592)
મુલાકાતી સંખ્યા : 37
આ રીલીઝ વાંચો:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam