પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

તેલંગાણાના સંગારેડીમાં એક ફેક્ટરીમાં આગ દુર્ઘટનામાં થયેલા જાનહાનિ પર પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી આર્થિક સહાયની જાહેરાત કરી

प्रविष्टि तिथि: 30 JUN 2025 2:33PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તેલંગાણાના સંગારેડીમાં એક ફેક્ટરીમાં આગ દુર્ઘટનામાં થયેલા જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો. તેમણે દરેક મૃતકના પરિવારજનો માટે પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી.

X પર પોસ્ટમાં પીએમઓ ઇન્ડિયા હેન્ડલે કહ્યું:

"તેલંગાણાના સંગારેડ્ડીમાં એક ફેક્ટરીમાં આગ લાગવાથી થયેલા જાનહાનિથી દુઃખી છું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના.

દરેક મૃતકના સગાને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે: PM @narendramodi"

AP/IJ/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2140745) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Bengali-TR , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam