પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ કઝાકિસ્તાન, કિર્ગિઝ રિપબ્લિક, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના વિદેશ મંત્રીઓ સાથે મુલાકાત કરી
આજે નવી દિલ્હીમાં યોજાયેલી ભારત-મધ્ય એશિયા સંવાદની ચોથી બેઠક વિશે મંત્રીઓએ પ્રધાનમંત્રીને માહિતી આપી
પ્રધાનમંત્રીએ આર્થિક આંતર સંબંધો, જોડાણ, સંરક્ષણ અને સુરક્ષા સહયોગ અને નવા અને ઉભરતા ક્ષેત્રોમાં સહયોગ માટે વિઝન શેર કર્યુ
પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે મજબૂત ભારત-મધ્ય એશિયા ભાગીદારી સહિયારા પ્રાદેશિક અને વૈશ્વિક પડકારોનો સામનો કરવામાં બળ ગુણક તરીકે કામ કરે છે
મધ્ય એશિયાના નેતાઓએ પહલગામ આતંકવાદી હુમલાની સખત નિંદા કરી અને સરહદ પાર આતંકવાદ સામેની લડાઈ માટે સમર્થન વ્યક્ત કર્યુ
પ્રધાનમંત્રીએ બીજા ભારત-મધ્ય એશિયા સમિટ માટે તમામ મધ્ય એશિયાઈ દેશોના નેતાઓને આમંત્રણ આપ્યું
Posted On:
06 JUN 2025 8:54PM by PIB Ahmedabad
કઝાકિસ્તાન પ્રજાસત્તાક, કિર્ગિઝ પ્રજાસત્તાક, તાજિકિસ્તાન પ્રજાસત્તાક, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાન પ્રજાસત્તાકના વિદેશ મંત્રીઓએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે સંયુક્ત મુલાકાત કરી હતી.
મંત્રીઓએ પ્રધાનમંત્રીને નવી દિલ્હીમાં યોજાયેલી ભારત-મધ્ય એશિયા સંવાદની ચોથી બેઠક દરમિયાન થયેલી સકારાત્મક અને ઉત્પાદક ચર્ચાઓ વિશે માહિતી આપી હતી.
પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે મધ્ય એશિયાઈ દેશો સાથેના સંબંધો હંમેશા ભારત માટે મુખ્ય પ્રાથમિકતા રહ્યા છે. આપણા ઐતિહાસિક લોકો-થી-લોકોના સંબંધોના મજબૂત પાયા પર નિર્માણ કરીને, તેમણે વધુ આર્થિક આંતર જોડાણો, વિસ્તૃત જોડાણ, સંરક્ષણ અને સુરક્ષા સહયોગમાં વધારો અને નવા અને ઉભરતા ક્ષેત્રોમાં વ્યાપક સહયોગ માટે પોતાનો દ્રષ્ટિકોણ શેર કર્યો હતો.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું કે મજબૂત ભારત-મધ્ય એશિયા ભાગીદારી સહિયારા પ્રાદેશિક અને વૈશ્વિક પડકારોનો સામનો કરવામાં બળ ગુણક તરીકે કામ કરે છે.
મધ્ય એશિયાઈ વિદેશ મંત્રીઓએ 22 એપ્રિલ 2025ના રોજ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરી અને સરહદ પાર આતંકવાદ સામે ભારતની લડાઈને ટેકો આપ્યો.
પ્રધાનમંત્રીએ ભારતમાં યોજાનારી બીજી ભારત-મધ્ય એશિયા સમિટ માટે તમામ મધ્ય એશિયાઈ દેશોના નેતાઓને આમંત્રણ આપ્યું.
AP/IJ/GP/JD
(Release ID: 2134711)