પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ તેલંગાણાના હૈદરાબાદમાં આગ દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો


PMNRF તરફથી સહાયની જાહેરાત

Posted On: 18 MAY 2025 12:00PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેલંગાણાના હૈદરાબાદમાં આગ દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોના ઝડપી સ્વસ્થ થવાની પણ પ્રાર્થના કરી છે.

પ્રધાનમંત્રીએ દરેક મૃતકના નજીકના પરિવારને પીએમએનઆરએફ તરફથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી.

પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા X પર પોસ્ટ કરવામાં આવી કે;

"તેલંગાણાના હૈદરાબાદમાં આગ દુર્ઘટનામાં થયેલી જાનહાનિથી ખૂબ દુઃખ થયું છે. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા."

પીએમએનઆરએફ તરફથી દરેક મૃતકના નજીકના સંબંધીઓને 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે: પીએમ

@narendramodi

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2129410)