રાષ્ટ્રપતિ સચિવાલય
ભારતના રાષ્ટ્રપતિએ પૂજ્ય પોપ ફ્રાન્સિસના અંતિમ સંસ્કારમાં હાજરી આપી
પોસ્ટેડ ઓન:
26 APR 2025 7:15PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી. દ્રૌપદી મુર્મુએ આજે (26 એપ્રિલ, 2025) વેટિકન સિટીના સેન્ટ પીટર્સ સ્ક્વેર ખાતે પવિત્ર પોપ ફ્રાન્સિસના અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી. આ સમારોહમાં કેન્દ્રીય સંસદીય બાબતો અને લઘુમતી બાબતોના મંત્રી શ્રી કિરેન રિજિજુ, લઘુમતી બાબતોના રાજ્યમંત્રી શ્રી જ્યોર્જ કુરિયન અને ગોવા વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર શ્રી જોશુઆ ડી સોઝા ઉપસ્થિત રહ્યા હતા. જેઓ સત્તાવાર ભારતીય પ્રતિનિધીમંડળમાં સામેલ હતા.


AP/IJ/GP/JD
(રીલીઝ આઈડી: 2124607)
મુલાકાતી સંખ્યા : 103