પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ઉત્તર પૂર્વ દિલ્હીના દયાલપુર વિસ્તારમાં ઇમારત ધરાશાયી થવાના કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
પ્રધાનમંત્રીએ PMNRF તરફથી આર્થિક સહાયની જાહેરાત કરી
Posted On:
19 APR 2025 9:02PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પૂર્વ દિલ્હીના દયાલપુર વિસ્તારમાં ઇમારત ધરાશાયી થવાના કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો. તેમણે દરેક મૃતકના પરિવારના લોકોને PMNRF તરફથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી.
પીએમઓ ઈન્ડિયાના હેન્ડલે એક્સ પર પોસ્ટ કરી:
"ઉત્તર પૂર્વ દિલ્હીના દયાલપુર વિસ્તારમાં ઇમારત ધરાશાયી થવાથી થયેલા જાનહાનિથી દુઃખ થયું છે. જે લોકોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના. સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને મદદ કરી રહ્યું છે.
દરેક મૃતકના નજીકના સંબંધીઓને PMNRF તરફથી 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે: PM @narendramodi"
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2122977)
Visitor Counter : 37
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam