પ્રધાનમંત્રીનું કાર્યાલય
થાઈલેન્ડના રાજા અને રાણી સાથે પ્રધાનમંત્રીની શાહી મુલાકાત
प्रविष्टि तिथि:
04 APR 2025 6:45PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રીએ આજે બેંગકોકના દુસિત પેલેસ ખાતે થાઈલેન્ડ રાજ્યના મહામહિમ રાજા મહા વાજીરાલોંગકોર્ન ફ્રા વાજીરાક્લાઓચાયુહુઆ અને મહામહિમ રાણી સુથિદા બજ્રસુધાબીમલલક્ષણ સાથે શાહી મુલાકાતનો કાર્યક્રમ યોજ્યો.
તેમણે ભારત અને થાઈલેન્ડ વચ્ચેના સહિયારા સાંસ્કૃતિક વારસા પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું. આ સંદર્ભમાં, તેમણે ગયા વર્ષે ભારતથી થાઈલેન્ડમાં આવેલા ભગવાન બુદ્ધના અવશેષો અને બંને દેશો વચ્ચેના લોકો-થી-લોકોના સંબંધોને વધુ મજબૂત બનાવવામાં આ પહેલની સકારાત્મક અસર વિશે વાત કરી. તેમણે બંને દેશો વચ્ચેના બહુપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની રીતો પર પણ ચર્ચા કરી.
AP/IJ/GP/JD
(रिलीज़ आईडी: 2119043)
आगंतुक पटल : 72
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam