પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

BIMSTEC સમિટ દરમિયાન પ્રધાનમંત્રી નેપાળના પ્રધાનમંત્રીને મળ્યા

प्रविष्टि तिथि: 04 APR 2025 4:17PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે બેંગકોકમાં 6ઠ્ઠા BIMSTEC સમિટ દરમિયાન નેપાળના પ્રધાનમંત્રી માનનીય શ્રી કે.પી. શર્મા ઓલીને મળ્યા.

બંને નેતાઓએ ભારત અને નેપાળ વચ્ચેના અનોખા અને ગાઢ સંબંધોની સમીક્ષા કરી. તેમણે ભૌતિક અને ડિજિટલ કનેક્ટિવિટી, લોકો-થી-લોકોના જોડાણો અને ઊર્જાના ક્ષેત્રમાં પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો. તેઓ આપણા બંને દેશો અને લોકો વચ્ચે બહુપક્ષીય ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે કામ કરવાનું ચાલુ રાખવા સંમત થયા.

નેપાળ ભારતની નેબરહુડ ફર્સ્ટ પોલિસી(પાડોશી પ્રથમની નીતિ) હેઠળ પ્રાથમિકતા ધરાવતું ભાગીદાર છે. આ બેઠક બંને દેશો વચ્ચે નિયમિત ઉચ્ચ-સ્તરીય આદાન-પ્રદાનની પરંપરા ચાલુ રાખશે.

AP/IJ/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2118840) आगंतुक पटल : 79
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Tamil , Telugu , Kannada , Malayalam