પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

દિલ્હીમાં ભૂકંપના આંચકા અનુભવાયા બાદ પ્રધાનમંત્રીએ સૌને શાંત રહેવા અને સલામતી તેમજ સાવચેતીઓનું પાલન કરવાની વિનંતી કરી

Posted On: 17 FEB 2025 8:08AM by PIB Ahmedabad

દિલ્હીમાં ભૂકંપના આંચકા અનુભવાયા બાદ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સૌને શાંત રહેવા અને સલામતી તેમજ સાવચેતીઓનું પાલન કરવાની વિનંતી કરી છે. શ્રી મોદીએ કહ્યું કે અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

પ્રધાનમંત્રીએ X પોસ્ટમાં કહ્યું;

"દિલ્હી અને નજીકના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દરેકને શાંત રહેવા અને સલામતી તેમજ સાવચેતીઓનું પાલન કરવા, સંભવિત આફ્ટરશોક્સ માટે સતર્ક રહેવા વિનંતી કરી. અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે."

AP/IJ/GP

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2103973) Visitor Counter : 49