પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર ભાગદોડને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

प्रविष्टि तिथि: 16 FEB 2025 7:18AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ભાગદોડને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ ઘાયલો માટે ઝડપથી સ્વસ્થ થવાની પણ કામના કરી છે.

X પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી ભાગદોડથી દુઃખી છું. મારી સંવેદનાઓ તે તમામ લોકો સાથે છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય. આ ભાગદોડથી પ્રભાવિત થયેલા તમામ લોકોને અધિકારીઓ મદદ કરી રહ્યા છે.”

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2103969) आगंतुक पटल : 90
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Tamil , Telugu , Kannada , Malayalam