સંરક્ષણ મંત્રાલય
azadi ka amrit mahotsav

સંરક્ષણ સચિવે એરો ઇન્ડિયા 2025માં સંરક્ષણ પ્રતિનિધિમંડળો સાથે મુલાકાત કરી

प्रविष्टि तिथि: 12 FEB 2025 8:00AM by PIB Ahmedabad

સંરક્ષણ સચિવ શ્રી રાજેશ કુમાર સિંહે 11 ફેબ્રુઆરી, 2025ના રોજ બેંગલુરુમાં એરો ઈન્ડિયા 2025 દરમિયાન અનેક દ્વિપક્ષીય બેઠકો યોજી હતી. તેમણે મોઝામ્બિકના સંરક્ષણ સચિવ શ્રી કેસિમિરો ઓગસ્ટો મુઇઓ; શ્રીલંકાના સંરક્ષણ મંત્રાલયના સચિવ એર વાઇસ માર્શલ (નિવૃત્ત) સંપથ થુયાકોન્થા; સુરીનામના કાયમી સંરક્ષણ સચિવ શ્રી જયંતકુમાર બિદેસી; મોંગોલિયાના રાજ્ય સચિવ બ્રિગેડિયર જનરલ ગંખાયુગ ડેગવાડોર; નેપાળના સંરક્ષણ મંત્રાલયના સચિવ શ્રી રામેશ્વર દંગલ; મોરેશિયસના કાયમી સચિવ શ્રી દેવેન્દ્રે ગોપાલ અને કોંગો લોકશાહી પ્રજાસત્તાકના કાયમી સચિવ મેજર જનરલ લુકવિકિલા મેટિકવિઝા માર્સેલ સાથે ચર્ચા કરી હતી.

આ બેઠકોમાં હાલની સંરક્ષણ સહયોગની સમીક્ષા કરવા અને સંબંધોને વધારવાના માર્ગો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ખાસ કરીને, ચર્ચાઓ સંરક્ષણ ઔદ્યોગિક સહયોગ વધારવા પર કેન્દ્રિત હતી. બાદમાં, સંરક્ષણ સચિવે ફ્રાન્સના આંતરરાષ્ટ્રીય આર્મમેન્ટ ડિરેક્ટોરેટના ડિરેક્ટર લેફ્ટનન્ટ જનરલ ગેલ ડિયાઝ ડી તુએસ્ટા સાથે પમુલાકાત કરી અને વિવિધ સંયુક્ત પ્રોજેક્ટ્સ અને સંરક્ષણ ઔદ્યોગિક સહયોગની ચર્ચા કરી હતી.

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2102176) आगंतुक पटल : 121
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil , Telugu , Malayalam