પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ પંડિત દીનદયાલ ઉપાધ્યાયને તેમની પુણ્ય તિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Posted On: 11 FEB 2025 1:16PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પંડિત દીનદયાળ ઉપાધ્યાયને તેમની પુણ્ય તિથિ પર શ્રદ્ધાંજલિ આપી છે. શ્રી મોદીએ કહ્યું કે, "પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી એક સ્વપ્નદ્રષ્ટા વિચારક હતા જેમણે ભારતની સેવામાં પોતાને સમર્પિત કરી દીધા હતા. સમાજના છેવાડાના વ્યક્તિના ઉત્થાનનું તેમનું દર્શન એક મજબૂત રાષ્ટ્ર તરફની આપણી યાત્રાને પ્રેરણા આપે છે."

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કરી;

"પંડિત દીનદયાળ ઉપાધ્યાય જીની પુણ્ય તિથિ પર અમે તેમણે હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપીએ છીએ. તેઓ એક સ્વપ્નદ્રષ્ટા વિચારક હતા જેમણે ભારતની સેવામાં પોતાને સમર્પિત કરી દીધા. સમાજના છેવાડાના વ્યક્તિના ઉત્થાનનું તેમનું દર્શન એક મજબૂત રાષ્ટ્ર તરફની આપણી યાત્રાને પ્રેરણા આપે છે. તેમનું બલિદાન અને આદર્શો પ્રગતિ અને એકતા માટેના આપણા સામૂહિક મિશનમાં માર્ગદર્શક બળ બની રહે છે."

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2101685) Visitor Counter : 52