પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ અલમોડા રોડ અકસ્માતમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
PMNRF તરફથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત
प्रविष्टि तिथि:
04 NOV 2024 1:19PM by PIB Ahmedabad
ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના અલમોડામાં થયેલા એક ભીષણ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો અને પ્રિયજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. @PMOIndia દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા નિવેદનમાં પ્રધાનમંત્રીએ પ્રભાવિત પરિવારો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી, સાથે જ અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકોના ઝડપથી સ્વસ્થ થવા પ્રાર્થના પણ કરી.
પ્રધાનમંત્રીએ કહ્યું, "ઉત્તરાખંડના અલમોડામાં થયેલા દુર્ભાગ્યપૂર્ણ માર્ગ અકસ્માતમાં જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે હું મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. હું તમામ ઇજાગ્રસ્તોના ઝડપી સ્વસ્થ થવાની પણ પ્રાર્થના કરું છું."
શ્રી નરેન્દ્ર મોદીએ અકસ્માતમાં માર્યા ગયેલા પ્રત્યેક વ્યક્તિના નજીકના સંબંધીઓને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી 2 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. ઈજાગ્રસ્તોને 50,000 રુપિયા આપવામાં આવશે.
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2070553)
आगंतुक पटल : 100
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam