ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે કેન્દ્રીય મંત્રીમંડળના નિર્ણયને આવકાર્યો


ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રીએ ઐતિહાસિક નિર્ણયો લેવા બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો

કેન્દ્રીય મંત્રીમંડળે વારાણસીમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટને રૂ. 2,642 કરોડનાં ખર્ચે મંજૂરી આપી છે, જેમાં ગંગા નદી પર રેલવે અને રોડ પુલનું નિર્માણ સામેલ છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ખેડૂતોનાં કલ્યાણ માટે સમર્પિત છે અને તેમનાં નેતૃત્વમાં, કેન્દ્રીય મંત્રીમંડળે આજે 2025-26ની સિઝન માટે રવી પાક માટે એમએસપીમાં વધારાને મંજૂરી આપી દીધી છે

. રેપસીડ અને રાઈના એમએસપીમાં સૌથી મોટો વધારો ક્વિન્ટલદીઠ રૂ.300નો વધારો જોવા મળ્યો છે, જ્યારે મસૂર માટે ક્વિન્ટલદીઠ રૂ.275નો ઐતિહાસિક વધારો થયો છે

આ વધેલી એમએસપીથી ખેડૂતોની આવકમાં વધારો થશે, જે આપણા ખેડૂતોને વધુ સમૃદ્ધ બનાવશે

તહેવારોની મોસમમાં મંત્રીમંડળે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા (ડીએ)માં વધારાના 3 ટકા અને પેન્શનરો માટે મોંઘવારી રાહત (ડીઆર)માં વધારાની જાહેરાત કરી છે

Posted On: 16 OCT 2024 6:56PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે કેન્દ્રીય મંત્રીમંડળે આજે લીધેલા નિર્ણયોને બિરદાવ્યા હતા. X પ્લેટફોર્મ પરની શ્રેણીબદ્ધ પોસ્ટમાં શ્રી અમિત શાહે ઐતિહાસિક નિર્ણયો લેવા બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીમંડળે રૂ. 2,642 કરોડનાં ખર્ચે વારાણસી-પંડિત દીનદયાળ ઉપાધ્યાય મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટને મંજૂરી આપી છે, જેમાં ગંગા નદી પર રેલવે અને રોડ પુલનું નિર્માણ સામેલ છે. આ પ્રોજેક્ટથી રેલવે નેટવર્કમાં 30 કિલોમીટરનો વધારો થશે. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું હતું કે, તેઓ દેશમાં કનેક્ટિવિટીને સતત પ્રોત્સાહન આપવા બદલ પ્રધાનમંત્રી મોદીજીનાં આભારી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ખેડૂતોનાં કલ્યાણ માટે સમર્પિત છે અને તેમનાં નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે વર્ષ 2025-26ની સિઝન માટે રવી પાક માટે એમએસપીમાં વધારો કરવાની મંજૂરી આપી છે. રેપસીડ અને સરસવના એમએસપીમાં સૌથી વધુ ક્વિન્ટલે ₹300નો વધારો જોવા મળ્યો છે, જ્યારે મસૂર (મસુર) માટે ક્વિન્ટલ દીઠ ₹275નો ઐતિહાસિક વધારો થયો છે. આ વધેલી એમએસપીથી ખેડૂતોની આવકમાં વધારો થશે અને આપણા ખેડૂતો વધુ સમૃદ્ધ બનશે. ખેડૂતોની દરેક ચિંતાને દૂર કરવા બદલ મોદીજીનો આભાર.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, તહેવારોની મોસમમાં પ્રધાનમંત્રી મોદીનાં નેતૃત્વમાં મંત્રીમંડળે આજે કેન્દ્ર સરકારનાં કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થા (ડીએ)માં વધારાનાં 3 ટકા અને પેન્શનર્સ માટે મોંઘવારી રાહત (ડીઆર)માં વધારાની જાહેરાત કરી હતી. આ નિર્ણયથી કેન્દ્ર સરકારના 49.18 લાખ કર્મચારીઓ અને 64.89 લાખ પેન્શનધારકોને લાભ થશે. આ વિશેષ ભેટ માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો હૃદયપૂર્વક આભાર.

AP/GP/JD



(Release ID: 2065544) Visitor Counter : 37