પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી 31 ઓગસ્ટનાં રોજ જિલ્લા ન્યાયતંત્રની રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરશે
प्रविष्टि तिथि:
30 AUG 2024 2:56PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 31 ઓગસ્ટ, 2024ના રોજ સવારે 10 વાગ્યે નવી દિલ્હીમાં ભારત મંડપમમાં નેશનલ કોન્ફરન્સ ઑફ ડિસ્ટ્રિક્ટ જ્યુડિશિયરીનું ઉદઘાટન કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી ભારતની સર્વોચ્ચ અદાલતની સ્થાપનાનાં 75 વર્ષ પૂર્ણ થવાની યાદમાં સ્ટેમ્પ અને સિક્કાનું અનાવરણ કરશે.
ભારતની સર્વોચ્ચ અદાલત દ્વારા આયોજિત બે દિવસીય સંમેલનમાં પાંચ કાર્યકારી સત્રોનું આયોજન કરવામાં આવશે, જેમાં જિલ્લા ન્યાયતંત્ર સાથે સંબંધિત મુદ્દાઓ જેવા કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને માનવ સંસાધન, તમામ માટે સમાવેશી કોર્ટરૂમ, ન્યાયિક સુરક્ષા અને ન્યાયિક સુખાકારી, કેસ મેનેજમેન્ટ અને ન્યાયિક તાલીમ જેવા મુદ્દાઓ પર વિચાર-વિમર્શ અને ચર્ચા કરવામાં આવશે.
ભારતના મુખ્ય ન્યાયાધીશ અને સુપ્રીમ કોર્ટના અન્ય ન્યાયાધીશો, કાયદા અને ન્યાય માટેના કેન્દ્રીય રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો), એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા, સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ પણ ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાગ લેશે.
AP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2050055)
आगंतुक पटल : 173
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Hindi_MP
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam