પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી 30મી જુલાઈએ CIIના પોસ્ટ બજેટ કોન્ફરન્સના ઉદ્ઘાટન સત્રને સંબોધશે

Posted On: 29 JUL 2024 12:08PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30 જુલાઈ, 2024ના રોજ બપોરે 12 વાગ્યે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ‘વિકસિત ભારત તરફની યાત્રા: અ પોસ્ટ યુનિયન બજેટ 2024-25 કોન્ફરન્સ’ના ઉદ્ઘાટન સત્રને સંબોધશે.

આ સંમેલનનું આયોજન ભારતીય ઉદ્યોગ પરિષદ (CII) દ્વારા કરવામાં આવી રહ્યું છે અને તેનો ઉદ્દેશ્ય વિકાસ માટે સરકારના વિશાળ વિઝન અને આ પ્રયાસમાં ઉદ્યોગની ભૂમિકાની રૂપરેખા રજૂ કરવાનો છે.

ઉદ્યોગ, સરકાર, રાજદ્વારી સમુદાય, થિંક ટેન્કના 1000થી વધુ સહભાગીઓ કોન્ફરન્સમાં રૂબરૂ હાજરી આપશે જ્યારે ઘણા દેશ અને વિદેશના વિવિધ CII કેન્દ્રો સાથે જોડાશે.

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2038361) Visitor Counter : 67