પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ લોકમાન્ય તિલકને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Posted On: 23 JUL 2024 9:57AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકમાન્ય તિલકને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે. શ્રી મોદીએ પુણેમાં ગયા વર્ષના કાર્યક્રમમાંથી તેમનું ભાષણ પણ શેર કર્યું હતું, જ્યાં તેમને લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત કરવાનું સન્માન મળ્યું હતું.

એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

લોકમાન્ય તિલકને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ. ભારતની આઝાદીની લડાઈમાં તેઓને હંમેશા એક મહાન વ્યક્તિ તરીકે યાદ કરવામાં આવશે. તેઓ એક સ્વપ્નદ્રષ્ટા હતા જેમણે રાષ્ટ્રવાદની ભાવનાને પ્રજ્વલિત કરવા માટે અથાક કામ કર્યું હતું અને તે જ સમયે, શિક્ષણ અને સેવા પર ભાર મૂક્યો હતો. પુણેમાં ગયા વર્ષના કાર્યક્રમમાંથી મારું ભાષણ શેર કરી રહ્યો છું, જ્યાં મને લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત કરવાનું સન્માન મળ્યું હતું.

CB/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2035494) Visitor Counter : 17