માહિતી અને પ્રસારણ મંત્રાલય
શ્રી અશ્વિની વૈષ્ણવે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો
સરકાર લોકોની સેવા માટે પ્રતિબદ્ધ, કેબિનેટનો પ્રથમ નિર્ણય ગરીબોને સમર્પિતઃ શ્રી વૈષ્ણવ
Posted On:
11 JUN 2024 11:41AM by PIB Ahmedabad
શ્રી અશ્વિની વૈષ્ણવે આજે અહીં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો. આ પ્રસંગે મીડિયા સાથે વાત કરતા શ્રી વૈષ્ણવે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર ગરીબોના ઉત્થાન માટે સમર્પિત છે. મંત્રીએ ગઈકાલે 3 કરોડ ગ્રામીણ અને શહેરી મકાનોના નિર્માણ માટેના કેબિનેટના નિર્ણયને પુનરાવર્તિત કર્યો અને કહ્યું કે સરકારના પ્રથમ દિવસે કેબિનેટનો પ્રથમ નિર્ણય ગરીબોના સશક્તિકરણને સમર્પિત છે. તેમણે વધુમાં જણાવ્યું કે સરકાર દેશની જનતાની સેવા કરતી રહેશે.
મંત્રી મહોદયે માહિતી અને પ્રસારણ મંત્રી તરીકે સેવા આપવાની તક આપવા બદલ પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો.

શ્રી વૈષ્ણવનું સ્વાગત સચિવ શ્રી સંજય જાજુ અને મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને મંત્રાલય હેઠળના મીડિયા એકમો દ્વારા કરવામાં આવ્યું હતું.

AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2023936)
Visitor Counter : 186
Read this release in:
Khasi
,
English
,
Urdu
,
Nepali
,
Marathi
,
Hindi
,
Hindi_MP
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam