પ્રધાનમંત્રીનું કાર્યાલય

નવી સરકારનો પ્રથમ નિર્ણય ખેડૂત કલ્યાણ માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે


પ્રધાનમંત્રી દ્વારા હસ્તાક્ષર કરાયેલી પ્રથમ ફાઇલ પીએમ કિસાન નિધિના રિલીઝ સાથે સંબંધિત છે

અમારી સરકાર કિસાન કલ્યાણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. તેથી તે યોગ્ય છે કે કાર્યભાર સંભાળતા જ સૌ પ્રથમ ફાઇલ ખેડૂત કલ્યાણ સાથે સંબંધિત હોય: પ્રધાનમંત્રી

અમે આવનારા સમયમાં ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે વધુ કામ કરતા રહેવા માંગીએ છીએ: પ્રધાનમંત્રી

Posted On: 10 JUN 2024 12:06PM by PIB Ahmedabad

ત્રીજી વખત પ્રધાનમંત્રી પદના શપથ લીધા બાદ, પ્રધાનમંત્રી મોદીએ પીએમ કિસાન નિધિના 17મા હપ્તાને અધિકૃત કરતી તેમની પ્રથમ ફાઇલ પર હસ્તાક્ષર કર્યા. તેનાથી 9.3 કરોડ ખેડૂતોને ફાયદો થશે અને લગભગ 20,000 કરોડ રૂપિયાનું વિતરણ કરાશે.

ફાઇલ પર હસ્તાક્ષર કર્યા પછી પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, “અમારી સરકાર કિસાન કલ્યાણ માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. તેથી તે યોગ્ય છે કે ચાર્જ સંભાળ્યા પછી સહી કરવા માટેની સૌ પ્રથમ ફાઇલ ખેડૂત કલ્યાણ સાથે સંબંધિત હોય. અમે આવનારા સમયમાં ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે વધુ કામ કરતા રહેવા માંગીએ છીએ.”

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2023691) Visitor Counter : 314