ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav g20-india-2023

ભારતના રાષ્ટ્રપતિએ સિવિલ ઇન્વેસ્ટિચર સમારોહ દરમિયાન ગુજરાતમાંથી મેડિસિન ક્ષેત્રે પ્રો. (ડૉ.) તેજસ મધુસૂદન પટેલને પદ્મ ભૂષણ એનાયત કર્યો


રાષ્ટ્રપતિએ સિવિલ ઈન્વેસ્ટિચર સમારોહ દરમિયાન ગુજરાતમાંથી ડો. યઝદી એમ. ઈટાલિયા અને ડો. જગદીશ ત્રિવેદીને પણ દવા અને કલાના ક્ષેત્રમાં પદ્મશ્રી એનાયત

Posted On: 22 APR 2024 9:34PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિએ ગુજરાતના પ્રોફેસર (ડૉ) તેજસ મધુસૂદન પટેલને મેડિસિન ક્ષેત્રે પદ્મ ભૂષણથી, ગુજરાતના ડો.યઝદી એમ. ઈટાલિયાને મેડિસિન ક્ષેત્રે અને ડો.જગદીશ ત્રિવેદીને કળા ક્ષેત્રે પદ્મશ્રીથી સન્માનિત કર્યા

ભારતના રાષ્ટ્રપતિએ આજે નવી દિલ્હીમાં યોજાયેલ સિવિલ ઇન્વેસ્ટિચર સેરેમનીમાં ગુજરાતના પ્રો. (ડૉ.) તેજસ મધુસૂદન પટેલને મેડિસિન ક્ષેત્રે પદ્મ ભૂષણ, ડૉ. યઝદી એમ. ઇટાલિયાને મેડિસિન ક્ષેત્રે પદ્મશ્રી અને ડૉ. જગદીશ ત્રિવેદીને કલાના ક્ષેત્રમાં પદ્મશ્રીથી સન્માનિત કર્યા.  

પુરસ્કાર વિજેતાઓના જીવન અને કાર્યોનો સંક્ષિપ્ત વિવરણ નીચે આપવામાં આવ્યું છે

પ્રો.(ડૉ.) તેજસ મધુસુદન પટેલ                    

 

 

1. પ્રો. (ડૉ.) તેજસ મધુસૂદન પટેલ તેમના અભૂતપૂર્વ કાર્ય માટે વિશ્વભરમાં સન્માનિત એક પ્રખ્યાત ઇન્ટરનેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ છે.

2. 17 એપ્રિલ, 1963ના રોજ જન્મેલા પ્રો. (ડૉ.) પટેલ હાલમાં ઑગસ્ટ 2012થી એપેક્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદના અધ્યક્ષ અને મુખ્ય ઇન્ટરનેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ છે. તેમની કારકિર્દી શાનદાર રહી છે. જેમાં ફેબ્રુઆરી, 2008થી ઑક્ટોબર, 2022 સુધી ગુજરાત વિશ્વવિદ્યાલય, અમદાવાદથી સંબદ્ધ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ (એસ.વી.પી.આઈ.એમ.એસઆર.)ના પૂર્વ પ્રોફેસર અને હ્રદય રોગ વિભાગના પૂર્વ પ્રમુખ રહેવાનું સામેલ છે. તેમની શાનદાર ઉપલબ્ધિઓમાં એક પીંછું ત્યારે ઉમેરાયું જ્યારે તેઓ 2013માં સંયુક્ત રાજ્ય અમેરિકાના રિચમંડ સ્થિત પ્રતિષ્ઠિત વર્જીનિયા કૉમનવેલ્થ યુનિવર્સિટી મેડિકલ સેન્ટરમાં આંતરિક દવા વિભાગમાં મેડિસિન (કાર્ડિયોલોજી)ના પ્રોફેસર બન્યા. તેમણે મેયો ક્લિનિકમાં પણ યોગદાન આપ્યું છે, જ્યાં તેઓ સપ્ટેમ્બર, 2017થી કાર્ડિયોલોજી વિભાગના વિઝિટિંગ પ્રોફેસર છે.

3. પ્રો. (ડૉ.) પટેલ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીના નિષ્ણાત છે. ટ્રાન્સરેડીયલ ઇન્ટરવેન્શન્સ, રોબોટિક પીસીઆઈ અને ડિસ્ટન્ટ ટેલીરોબોટિક પીસીઆઈમાં તેમના નવીન કાર્ય માટે તેમણે આંતરરાષ્ટ્રીય પ્રશંસા મેળવી છે. આ ટેક્નોલોજીનો પ્રસાર કરવાની તેમની પ્રતિબદ્ધતાએ એશિયા, યુરોપ અને અમેરિકાના દેશો પર નોંધપાત્ર અસર કરી છે. એક સાચા શિક્ષક તરીકે, તેમણે ટ્રાઈકો દ્વારા ભારત અને અન્ય દેશોના 8000થી વધુ કાર્ડિયોલોજિસ્ટને તાલીમ આપી છે. ટ્રાઈકોએ ટ્રાન્સરેડીયલ તકનીકો પરનો એક પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય તાલીમ અભ્યાસક્રમ છે, જે તેઓ છેલ્લા 18 વર્ષથી ચલાવી રહ્યા છે (ટ્રાઈકો 2005થી ટ્રાઈકો 2024). તેમણે ત્રણ પ્રભાવશાળી પુસ્તકો લખ્યા છે જેમ કે પટેલ્સ એટલાસ ઓફ ટ્રાન્સરેડીયલ ઇન્ટરવેન્શન્સ: ધ બેઝિક્સ, “પટેલ્સ એટલાસ ઓફ ટ્રાન્સરેડીયલ ઇન્ટરવેન્શન્સ: ધ બેઝિક્સ એન્ડ બિયોન્ડઅને પટેલ્સ એટલાસ ઓફ કોમ્પ્લેક્સેશન ઓફ કોરોનરી ઇન્ટરવેન્શન્સ: પ્લાન-બી, જે તમામ આ ક્ષેત્રના મૌલિક પુસ્તકો ગણવામાં આવે છે.

4. સંશોધન ક્ષેત્રે પણ પ્રો. (ડૉ.) પટેલનું યોગદાન પણ એટલું જ પ્રભાવશાળી છે. તેમની પાસે 333 પ્રકાશિત કૃતિઓ છે, જેમાં ત્રણ પાઠ્યપુસ્તકો, વિવિધ પાઠ્યપુસ્તકોમાં 24 પ્રકરણો, પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જર્નલમાં 198 મૂળ લેખો અને પ્રતિષ્ઠિત પ્રકાશનોમાં 108 એબ્સ્ટ્રેક્ટનો સમાવેશ થાય છે. તેઓ સોસાયટી ફોર કાર્ડિયક એન્જિયોગ્રાફી એન્ડ ઈન્ટરવેન્શન (એસસીએઆઈ), જે અમેરિકામાં એક મુખ્ય ઈન્ટરવેન્શન સોસાયટી છે, માટે ટ્રાંસરેડિયલ ઈન્ટરવેન્શન ટેક્નિક પર વ્હાઈટ પેપરના લેખકોમાંથી એક છે. ટ્રાન્સરેડીયલ અભિગમો પરની લોકપ્રિય શૈક્ષણિક વેબસાઇટ www.trico.guruના મુખ્ય સંપાદક તરીકે અને યુનાઇટેડ સ્ટેટ્સથી પ્રકાશિત જર્નલ ઓફ ઇન્વેસિવ કાર્ડિયોલોજીના સંપાદકીય મંડળના સભ્ય તરીકે, તેઓ તેમના ક્ષેત્રમાં જ્ઞાન પ્રસારમાં અગ્રણી છે. વધુમાં, તેઓએ સમગ્ર વિશ્વમાં વપરાતા કેથેટર બનાવ્યા છે (PAPA કેથેટર અને VASO-કેથેટર).

5. પ્રો. (ડૉ.) પટેલને વ્યાપક માન્યતા મળી છે. તેઓ 2005થી ભારતીય કાર્ડિયોલોજિકલ સોસાયટી (FCSI)ના ફેલો છે; 2003થી અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજી (FACC)ના ફેલો; 2005થી યુરોપિયન સોસાયટી ઓફ કાર્ડિયોલોજી (FESC)ના ફેલો અને 2003થી સોસાયટી ફોર કાર્ડિયાક એન્જીયોગ્રાફી એન્ડ ઇન્ટરવેન્શન્સ (FCSAI)ના ફેલો. હૃદયરોગના ક્ષેત્રમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાનની માન્યતામાં તેમને ઘણા પ્રતિષ્ઠિત પુરસ્કારો પ્રાપ્ત થયા છે, જેમાં ડૉ. કે.એમ. શરણ કાર્ડિયોલોજી એક્સેલન્સ એવોર્ડ, 2008 ભારતના તત્કાલીન માનનીય રાષ્ટ્રપતિ દ્વારા ડૉ. બી.સી. રોય એવોર્ડ અને 2015માં પદ્મ શ્રી એવોર્ડ (ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માનમાંનો એક) સામેલ છે.

 

ડો.જગદીશ ત્રિવેદી

1. ડૉ. જગદીશ ત્રિવેદી એક આંતરરાષ્ટ્રીય હાસ્ય કલાકાર, લેખક, કવિ, અભિનેતા, ફિલોસોફર અને સામાજિક કાર્યકર છે જે છેલ્લા 35 વર્ષથી પોતાની કલા દ્વારા માનવતાની સેવા કરી રહ્યા છે.

2. 12 ઓક્ટોબર, 1967ના રોજ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના એક નાનકડા ગામમાં જન્મેલા ડો. ત્રિવેદીએ તેમનું શાળાકીય શિક્ષણ લીંબડીમાં પૂર્ણ કર્યું અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા. તેમણે પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાંથી ત્રણ ડોક્ટરેટની પદવી પ્રાપ્ત કરી. બે સંશોધકોએ ડો.જગદીશ ત્રિવેદીના સાહિત્ય પર ડોક્ટરેટની પદવી મેળવી છે. ગુજરાત અને મહારાષ્ટ્ર પાઠ્ય પુસ્તક મંડળોએ તેમના અભ્યાસક્રમમાં તેમના નિબંધોનો સમાવેશ કર્યો છે.

3. ડો. ત્રિવેદીના કાર્ય અને લખાણોએ વિશ્વભરમાં ભારતીય ડાયસ્પોરામાં ભારતીયતા અને સંસ્કૃતિને જાળવવા અને વિકસાવવામાં વૈશ્વિક સ્તરે મહત્વની ભૂમિકા ભજવી છે. એત આંતરરાષ્ટ્રીય કલાકાર તરીકે, તેમના 28 દેશોમાં પ્રેક્ષકો છે. વિશ્વના 28 દેશોમાં પર્ફોર્મન્સ આપી ચુકેલા ડો. ત્રિવેદીએ તેમના 3100 શો, 78 પુસ્તકો, 100થી વધુ સીડી, વીસીડી અને ડીવીડી, વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અખબારો અને સામયિકોમાં કોલમ અને 450થી વધુ વીડિયો દ્વારા લાખો લોકોને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો, નૈતિક મૂલ્યો અને મનોરંજનનો લાભાન્વિત કરતા કલાના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમણે પોતાના વકતૃત્વ કૌશલ્ય દ્વારા સરકારી જાગૃતિ અભિયાનમાં પણ મદદ કરી છે અને 360 શો અને 150 વીડિયો દ્વારા 'બેટી બચાવો', 'સ્વાઇન ફ્લૂ' અને 'કોવિડ' વિશે જાગૃતિ ફેલાવી છે.

4. 50 વર્ષનાં થવા પર, ડૉ. ત્રિવેદીએ કૉમેડી શોમાંથી તેમની આવકના 100 ટકા ખાસ કરીને જરૂરિયાતમંદો માટે શિક્ષણ અને તબીબી સુવિધાઓ માટે, કોઈપણ વહીવટી શુલ્ક વિના દાન કરવાની પ્રતિજ્ઞા લીધી. તેમના શપથના ભાગરૂપે, તેમણે 25 વર્ષમાં રૂ. 11 કરોડનું દાન કરવાની પ્રતિબદ્ધતા દાખવી. 6.5 વર્ષમાં તેમણે 9.5 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. પરોપકારની તેમની સફરમાં, અનેક હોસ્પિટલો અને વ્યક્તિઓને યોગદાન આપવા ઉપરાંત, તેમણે ગુજરાત સરકારને 11 શાળાની ઇમારતો, 7 જાહેર પુસ્તકાલયો અને 1 બાળ કુપોષણ કેન્દ્રનું નિર્માણ અને દાન કર્યું છે. ભારતના માનનીય પ્રધાનમંત્રીએ તેમની રેડિયો ટોક, મન કી બાતના 108માં એપિસોડમાં તેમના યોગદાન માટે તેમની પ્રશંસા કરી છે.

5. ડૉ. ત્રિવેદીને ગુજરાતના માનનીય રાજ્યપાલ દ્વારા ગુજરાત ગરિમા એવોર્ડ અને સંસ્કાર ભારતી એવોર્ડ અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી દ્વારા ગુજરાત ગૌરવ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમના છ પુસ્તકોને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા અને એક પુસ્તકને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પુરસ્કાર આપવામાં આવ્યા છે.                                                          

ડૉ યઝદી એમ ઇટાલિયા

1. ડૉ. યઝદી એમ. ઈટાલિયા, પીએચ.ડી., અનુવાદક વૈજ્ઞાનિક અને ઈન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ (I.Sc.), મુંબઈના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેઓ સિકલ સેલ ડિસીઝ (SCD) પરના તેમના કામ માટે પ્રખ્યાત છે.

2. 10 નવેમ્બર, 1950ના રોજ ગુજરાતના ચીખલીમાં જન્મેલા ડૉ. ઇટાલિયાએ 1978માં ગુજરાતના વલસાડમાં સિકલ સેલ રોગથી પીડિત પોતાના પ્રથમ દર્દીની ઓળખ કરી હતી. આનાથી તેમને આદિવાસી સમુદાયોની વેદનાને દૂર કરવા માટે SCD જેવી વારસાગત રક્ત વિકૃતિઓને સંબોધવા માટે પ્રેરણા મળી. ત્યારથી, તેઓ ભારતના ઘણા આદિવાસી સમુદાયોમાં સિકલ સેલ એનિમિયા (SCA) વિશે જાગૃતિ લાવવા માટે સખત મહેનત કરી રહ્યા છે.

3. 1984માં, ડૉ. ઇટાલિયાએ અન્ય સમાન વિચારધારા ધરાવતા ટ્રસ્ટીઓ સાથે મળીને વલસાડ બ્લડ ડોનેશન સેન્ટર (VRK)ની સ્થાપના કરી, જે મોટા પાયે સમુદાયની સેવા કરતી એનજીઓ છે. વીઆરકેની છત્રછાયા હેઠળ, તેમણે ભારતની પ્રથમ વ્યાપક સિકલ સેલ ક્લિનિકની સ્થાપના કરી, જે SCD સાથે ડિલિવરી અટકાવવા માટે નિદાન, પરામર્શ, સારવાર અને સહાય પૂરી પાડે છે. બાદમાં, તેમણે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) સાથે મળીને પ્રિનેટલ નિદાન માટે મોલેક્યુલર લેવલ લેબોરેટરીનો સમાવેશ કરવા તેની સેવાઓનો વિસ્તાર કર્યો. આ તમામ સેવાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. 1991માં, તેઓ અમેરિકન SCA પ્રોગ્રામ વિશે જાણવા માટે યુનાઇટેડ સ્ટેટ્સ ગયા અને 11 રાજ્યોની મુલાકાત લીધી. ભારત પરત ફર્યા પછી, તેમણે મર્યાદિત સંસાધનો સાથે આદિવાસીઓના સ્વાસ્થ્યને સુધારવા માટે સરળ, સસ્તું, કરકસરયુક્ત પદ્ધતિઓનો ઉપયોગ કરીને SCA પ્રોગ્રામની સ્થાપના કરી. 2006માં, તેમણે ગુજરાત સરકાર માટે ભારતનો પ્રથમ ક્રાંતિકારી સિકલ સેલ એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામ (SCACP) ડિઝાઇન કર્યો.

4. ડૉ. ઈટાલિયાએ ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)ની વિવિધ સંસ્થાઓ સાથે વિવિધ સંશોધન પ્રોજેક્ટ્સ પર નજીકથી કામ કર્યું. તેમણે NIH-મુંબઈ, NIRTH-જબલપુર, RMRC-ભુવનેશ્વર, SCIC-રાયપુર અને ગુજરાત, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં અન્ય NGO સાથે વિવિધ ICMR પ્રોજેક્ટ્સ પર સહયોગ કર્યો. વારસાગત અને આયર્નની ઉણપનો એનિમિયા વિશેના પ્રોજેક્ટમાં જાણવા મળ્યું છે કે 66% સિકલ સેલ દર્દીઓમાં કુપોષણને કારણે આયર્નની ઉણપ હતી. તેમણે સરકારને આયર્ન-ફોર્ટિફાઇડ ચોખા અને દર્દીઓને આવશ્યક દવાઓનો અવિરત મફત પુરવઠો પૂરો પાડવા ભલામણ કરી હતી. ગુજરાત રાજ્ય કાર્યક્રમને 2011માં જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટેનો પ્રધાનમંત્રી પુરસ્કાર પણ મળ્યો હતો અને આ અનુભવના આધારે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન દ્વારા વ્યાપક રાષ્ટ્રવ્યાપી ટકાઉ કાર્યક્રમની રચના અને અમલીકરણ કરવામાં આવ્યું છે.

5. ડૉ. ઇટાલિયા અને તેમની ટીમે આશા કાર્યકર્તાઓ સહિત આરોગ્ય કાર્યકરો માટે અનેક તાલીમ કાર્યક્રમો હાથ ધર્યા. તેમણે ગુજરાતમાં સામૂહિક સિકલ સેલ સ્ક્રિનિંગ પ્રોગ્રામ શરૂ કર્યો જેમાં અનેક એનજીઓ સામેલ છે. આના પરિણામે 9,900,000ની આદિવાસી વસ્તીની તપાસમાં 30,000 સિકલ સેલ દર્દીઓ અને 770,000 સિકલ સેલ લક્ષણો ધરાવતા વ્યક્તિઓની ઓળખ થઈ. તેમણે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇમ્યુનોહેમેટોલોજીના વૈજ્ઞાનિકો સાથે મળીને, વલસાડમાં ભારતમાં પ્રથમ વખત ટેલિમેડિસિન દ્વારા સૂકા લોહીના નમૂનાઓ અને ફોલો-અપનો ઉપયોગ કરીને હીલ-પ્રિક દ્વારા નવજાતની તપાસ હાથ ધરી હતી. હાલમાં, તેઓ SCD અને થેલેસેમિયા મેજર ચાઈલ્ડનો ઝીરો બર્થ રેટના સ્વપ્નને સાકાર કરવા માટે સાર્વત્રિક પ્રિનેટલ સ્ક્રીનીંગ અપનાવવા સઘન પ્રયાસો કરી રહ્યા છે.

6. ડૉ. ઇટાલિયાના નામે ઘણા પ્રકાશનો છે. તેમણે વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચો પર ગુજરાત મોડેલ રજૂ કર્યું, જેમાં સિકલ સેલ ડિસીઝ પર ત્રીજી વર્લ્ડ કોંગ્રેસ, મિયામી, યુએસએમાં ફેડરેશન ઓફ સિકલ સેલ ડિસીઝ રિસર્ચની વાર્ષિક પરિષદ, એમોરી યુનિવર્સિટી, એટલાન્ટા, યુએસએ અને કિંગ્સ્ટન યુનિવર્સિટી, જમૈકામાં સહિત વેસ્ટ ઈન્ડિઝમાં અફલાક  લેક્ચર સિરીઝનો સમાવેશ થાય છે. ગુજરાત મોડલ હવે વૈશ્વિક સ્તરે પ્રશંસનીય સિદ્ધિ તરીકે કરવામાં આવે છે. 2047 સુધીમાં સિકલ સેલ એનિમિયા નાબૂદ કરવાના મિશનના ભાગરૂપે, તેઓ કેન્દ્ર સરકારમાં MOHFW, MOTA અને CAFPD મંત્રાલયો ની ત્રણ સમિતિઓ અને ગુજરાત રાજ્યના MOHFWના સભ્ય છે.

AP/GP/JD



(Release ID: 2018538) Visitor Counter : 129