પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશના ડિંડોરીમાં માર્ગ અકસ્માતમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

Posted On: 29 FEB 2024 10:11AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના ડિંડોરી જિલ્લામાં થયેલા માર્ગ અકસ્માતમાં થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

શ્રી મોદીએ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો માટે ઝડપથી સ્વસ્થ થવાની પણ શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા X પર પોસ્ટ કરવામાં આવ્યું;

મધ્યપ્રદેશના ડિંડોરીમાં જે માર્ગ અકસ્માત થયો તે ખૂબ દુઃખદ છે. મારી સંવેદના શોકગ્રસ્ત પરિવાર સાથે છે. ભગવાન તેમને  મુશ્કેલ સમયમાં શક્તિ આપે. સાથે હું ઘાયલ થયેલા તમામ લોકોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ, સ્થાનિક વહીવટીતંત્ર પીડિતોને શક્ય તમામ સહાય કરવા તત્પર છે: PM @narendramodi. ”

YP/AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2010006) Visitor Counter : 49