પ્રધાનમંત્રીનું કાર્યાલય
પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન એનાયત કરવામાં આવશેઃ પ્રધાનમંત્રી
Posted On:
09 FEB 2024 12:59PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પૂર્વ પ્રધાનમંત્રી શ્રી ચૌધરી ચરણ સિંહને સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન એનાયત કરવા વિશે માહિતી આપી હતી.
તેમણે ખેડૂતોના અધિકારો અને તેમના કલ્યાણ માટે તેમનું સમગ્ર જીવન સમર્પિત કરવા બદલ સ્વર્ગસ્થ નેતાની પ્રશંસા કરી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"આ અમારી સરકારનું સૌભાગ્ય છે કે દેશના પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણ સિંહજીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે. આ સન્માન દેશ માટે તેમના અજોડ યોગદાનને સમર્પિત છે. તેમણે પોતાનું આખું જીવન ખેડૂતોના અધિકારો અને તેમના કલ્યાણ માટે વિતાવ્યું છે. તેઓ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહ્યા હોય કે દેશના ગૃહ મંત્રી અને ધારાસભ્ય તરીકે પણ તેમણે હંમેશા રાષ્ટ્ર નિર્માણને પ્રેરણા આપી. તેઓ ઈમરજન્સીના વિરોધમાં પણ અડગ રહ્યા. આપણા ખેડૂત ભાઈઓ અને બહેનો પ્રત્યેનું તેમનું સમર્પણ અને ઈમરજન્સી દરમિયાન લોકશાહી પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા સમગ્ર રાષ્ટ્ર માટે પ્રેરણાદાયી છે."
AP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2004398)
Visitor Counter : 99
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam