પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ 2 કરોડ દીદીઓ લખપતિ બનાવવાના તેમના સ્વપ્નને આગળ ધપાવ્યું


દેવાસની મહિલાઓએ પ્રધાનમંત્રીને મહિલા સશક્તિકરણનાં તેમનાં સ્વપ્નમાં ભાગીદાર બનવાની ખાતરી આપી

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આપણી માતાઓ અને બહેનોનો આત્મવિશ્વાસ આપણા દેશને આત્મનિર્ભર બનાવશે"

प्रविष्टि तिथि: 27 DEC 2023 2:18PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે જનમેદનીને સંબોધન પણ કર્યું હતું.

આ કાર્યક્રમમાં દેશભરમાંથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના હજારો લાભાર્થીઓ જોડાયા હતા. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક સ્તરના પ્રતિનિધિઓ જોડાયા હતા.

1.3 લાખ મહિલાઓના સેલ્ફ હેલ્પ ગ્રુપમાં સામેલ દેવાસ મધ્યપ્રદેશની રૂબીના ખાને પોતાના સ્વ સહાય જૂથ પાસેથી લોન લઈને કપડાં વેચવાનો એક નાનો બિઝનેસ શરૂ કર્યો અને એક મજૂરની જિંદગી છોડી દીધી. બાદમાં તેણીએ પોતાનો માલ વેચવા માટે સેકન્ડ હેન્ડ મારુતિ વાનનો ઉપયોગ કર્યો, આના પર પ્રધાનમંત્રીએ મજાકમાં કહ્યું હતું, 'મેરે પાસ તો સાયકલ ભી નહીં હૈ'. પાછળથી તે દેવાસની એક દુકાનમાં આગળ વધી અને રાજ્યમાંથી પણ કામ મેળવ્યું.

તેઓએ માસ્ક, પીપીપી કીટ અને સેનિટાઇઝર બનાવીને રોગચાળા દરમિયાન ફાળો આપ્યો હતો. ક્લસ્ટર રિસોર્સ પર્સન (સીઆરપી) તરીકેના તેમના અનુભવનું વર્ણન કરતાં તેમણે જણાવ્યું હતું કે, તેમણે કેવી રીતે મહિલાઓને ઉદ્યોગસાહસિકતાના જીવન માટે પ્રેરિત કરી હતી. 4૦ ગામોમાં જૂથોની રચના પણ કરવામાં આવી હતી.

પ્રધાનમંત્રીએ તેમને જણાવ્યું હતું કે, સ્વ સહાય જૂથની મહિલાઓમાં તેઓ આશરે 2 કરોડ દીદીઓને 'લખપતિ' બનાવવાનો ઇરાદો ધરાવે છે. તેમણે પ્રધાનનમંત્રીને આ સ્વપ્નમાં ભાગીદાર બનવાની ખાતરી આપી હતી અને કહ્યું હતું કે 'હું દરેક દીદીને લખપતિ બનવાની ઇચ્છા કરું છું'. દરેક દીદી લખપતિને બનાવવાનો ભાગ બનવા માટે હાજર તમામ મહિલાઓએ હાથ ઊંચા કર્યા હતા.

પ્રધાનમંત્રીએ તેમનાં આત્મવિશ્વાસની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, "આપણી માતાઓ અને બહેનોનો આત્મવિશ્વાસ આપણાં દેશને આત્મનિર્ભર બનાવશે." શ્રીમતી ખાનની આ સફરની પ્રશંસા કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સ્વ સહાય જૂથ મહિલાઓ માટે સ્વનિર્ભરતાનું માધ્યમ છે અને તેમના આત્મવિશ્વાસનું માધ્યમ છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, મને ઓછામાં ઓછા 2 કરોડ દીદીઓ લખપતિ બનાવવા માટે સખત મહેનત કરવા માટે પ્રેરિત કરે છે. પ્રધાનમંત્રીએ તેમને તેમના બાળકોને શિક્ષિત કરવા જણાવ્યું હતું. તેણે માહિતી આપી કે તેનું આખું ગામ સમૃદ્ધ થઈ ગયું છે.

CB/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1990736) आगंतुक पटल : 205
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Tamil , Kannada , Bengali , Odia , English , Urdu , हिन्दी , Marathi , Bengali-TR , Assamese , Manipuri , Punjabi , Telugu , Malayalam