પ્રધાનમંત્રીનું કાર્યાલય

VBSY દરમિયાન 1 કરોડ આયુષ્માન કાર્ડ બનાવવામાં આવતા પીએમ ખુશી વ્યક્ત કરી

Posted On: 23 DEC 2023 10:10AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચાલી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન 1 કરોડ આયુષ્માન કાર્ડ લાભાર્થીઓને આપવા  પર ખુશી વ્યક્ત કરી છે.

આ સિદ્ધિની પ્રશંસા કરતા પીએમ મોદીએ કહ્યું કે VBSYનો હેતુ તમામ પાત્ર નાગરિકો સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવાનો છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"ખૂબ જ પ્રોત્સાહક સિદ્ધિ! વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે અમારી યોજનાઓનો લાભ દેશભરના મારા તમામ ગરીબ ભાઈ-બહેનો સુધી પહોંચે."

YP/GP/NP

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1989818) Visitor Counter : 73