માહિતી અને પ્રસારણ મંત્રાલય

વિકસિત ભારત સંકલ્પ યાત્રા: અન્નદાતાઓનું સશક્તીકરણ


ખેડૂતો કૃષિ સંબંધિત યોજનાઓ દ્વારા શક્ય બનેલા પરિવર્તનની વાર્તાઓ શેર કરે છે

આતુર ખેડૂતો ખાતરો અને જંતુનાશકોના છંટકાવ માટે ડ્રોનનો ઉપયોગ કરવાનું શીખે છે

Posted On: 22 DEC 2023 3:20PM by PIB Ahmedabad

 

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0040192.png

વિકસિત ભારત સંકલ્પ યાત્રા (VBSY) દ્વારા, ભારત સરકાર (GoI) દરેક પાત્ર વ્યક્તિ સુધી કલ્યાણકારી યોજનાઓ તેમના ઘરે પહોંચાડવામાં વ્યસ્ત છે. યાત્રામાં સામેલ ઇન્ફોર્મેશન, એજ્યુકેશન એન્ડ કોમ્યુનિકેશન (IEC) વાન શહેરથી શહેર, ગામડે ગામડે જાગૃતિ અભિયાન ચલાવી રહી છે. IEC વાન અત્યાર સુધીમાં એક લાખથી વધુ ગ્રામ પંચાયતો સુધી પહોંચી છે. વધુમાં, 22 ડિસેમ્બર, 2023 (02:30 PM) સુધીમાં VBSYમાં લગભગ 4.5 કરોડ લોકોએ ભાગ લીધો છે અને 3 કરોડથી વધુ લોકોએ વિકસિત ભારત બનાવવાની પ્રતિજ્ઞા લીધી છે.

 

15મી નવેમ્બર 2023ના રોજ ઝારખંડના ખુંટીથી શરૂ થયેલી વિક્ષિત ભારત સંકલ્પ યાત્રા ખાસ કરીને ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થઈ રહી છે. આ યાત્રા દ્વારા કેન્દ્ર સરકાર ખેડૂતોને ટેકનિકલ અને આર્થિક રીતે સક્ષમ બનાવવા પર વિશેષ ભાર મૂકી રહી છે. આ જનજાગૃતિ અભિયાનની મદદથી, સરકાર ખેડૂતો માટે બિયારણથી બજાર સુધીની સફરને સરળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.

 

ઉત્તર પ્રદેશના આઝમગઢના ખેડૂત જનક યાદવ અને બિહારના સહરસા જિલ્લાની ભેલાહી પંચાયતના રહેવાસી નસીરુદ્દીનએ જણાવ્યું કે તેઓને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM-KISAN)નો લાભ મળી રહ્યો છે. બંને ખેડૂતોએ “PM-KISAN” યોજનાને ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક અને સારી યોજના ગણાવી.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0050MV3.png

કેન્દ્ર સરકાર વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા ખેડૂતોને ટેકનોલોજી સાથે જોડવા અથાગ પ્રયાસો કેન્દ્ર સરકાર વિકસીત ભારત સંકલ્પ યાત્રા દ્વારા ખેડૂતોને ટેકનોલોજી સાથે જોડવાના અથાક પ્રયાસો કરી રહી છે. યાત્રા દરમિયાન, ખેતરોમાં ખાતર અને જંતુનાશકોનો છંટકાવ કરવા માટે ડ્રોનનો ઉપયોગ બતાવવા અને ડ્રોનનો ઉપયોગ કરીને પાકની તપાસ કેવી રીતે કરવી તે બતાવવા માટે સમગ્ર અભિયાન દરમિયાન જીવંત પ્રદર્શન યોજવામાં આવે છે. આસામના બક્સા જિલ્લામાં પણ આવું જ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં ખેડૂતોને ડ્રોન વડે પાકનું નિરીક્ષણ કરવાનું શીખવવામાં આવ્યું હતું.

 

નિદર્શન જોયા પછી, એક ખેડૂત રોનિત સિંહ બ્રહ્માએ પોતાનો સંતોષ વ્યક્ત કરતા કહ્યું, 'આજે, અમે અમારા સરસવના પાકનું પરીક્ષણ કરતા ડ્રોન જોયા, અને અમે તેમની કાર્યક્ષમતાથી પ્રભાવિત થયા. તેનાથી અમને અહેસાસ થયો કે આ ટેક્નોલોજી અપનાવવાથી સમય બચી શકે છે અને શ્રમ ખર્ચમાં ઘટાડો થઈ શકે છે."

રોનિત સિંહ બ્રહ્મા

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image007JQDI.png

A diagram of a droneDescription automatically generated

ઉત્તર પ્રદેશના બલરામપુર જિલ્લાના રહેવાસી શ્રી રામ ગોપાલ ચૌધરીએ કૃષિ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી (ATMA) યોજના હેઠળ તાલીમ મેળવવાના VBSY અભિયાન દરમિયાન તેમનો અનુભવ શેર કર્યો. તેમને કૃષિ પ્રવૃત્તિઓ માટે આધુનિક મશીનરીના ઉપયોગ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા જેણે તેમને તેમની આવક વધારવામાં અને મજૂરી ખર્ચમાં બચત કરવામાં મદદ કરી હતી.

રામ ગોપાલ ચૌધરી

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image010X630.png

સંદર્ભો:

  1. https://viksitbharatsankalp.gov.in/video
  2. https://x.com/PIBHindi/status/1732769662222364696?s=20
  3. https://x.com/airnewsalerts/status/1726507738816270623?s=20
  4. https://x.com/DDNewslive/status/1732297941518626894?s=20
  5. https://viksitbharatsankalp.gov.in/

YP/JD 



(Release ID: 1989658) Visitor Counter : 239