પ્રધાનમંત્રીનું કાર્યાલય

2047 સુધીમાં વિક્ષિત ભારતનો સંદેશ અરુણાચલ ગામમાં ગુંજ્યો

પ્રધાનમંત્રીએ નમસાઈ અરુણાચલ પ્રદેશના લાભાર્થી સાથે વાતચીત કરી

Posted On: 30 NOV 2023 1:26PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિક્ષિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો. તેમણે પ્રધાનમંત્રી મહિલા કિસાન ડ્રોન કેન્દ્ર પણ શરૂ કર્યું. કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રીએ એઈમ્સ, દેવઘરમાં સીમાચિહ્નરૂપ 10,000મા જન ઔષધિ કેન્દ્રને સમર્પિત કર્યું. વધુમાં, શ્રી મોદીએ દેશમાં જન ઔષધિ કેન્દ્રોની સંખ્યા 10,000 થી વધારીને 25,000 કરવાનો કાર્યક્રમ પણ શરૂ કર્યો. પ્રધાનમંત્રીએ આ વર્ષની શરૂઆતમાં તેમના સ્વતંત્રતા દિવસના ભાષણ દરમિયાન મહિલા SHG ને ડ્રોન પૂરા પાડવા અને જન ઔષધિ કેન્દ્રોની સંખ્યા 10,000 થી વધારીને 25,000 સુધી કરવાની આ બંને પહેલની જાહેરાત કરી હતી. કાર્યક્રમ આ વચનોની પરિપૂર્ણતા દર્શાવે છે.

અરુણાચલ પ્રદેશના નમસાઈથી શ્રી લકર પાલેંગે પ્રધાનમંત્રીને સરકારની સહાયથી બનાવેલા પાકાં ઘર વિશે માહિતી આપી હતી. તેમણે જલ જીવન મિશન દ્વારા લાવવામાં આવેલા પરિવર્તન વિશે પણ માહિતી આપી હતી.

જ્યારે શ્રી લકરે પ્રધાનમંત્રીને જય હિન્દસાથે શુભેચ્છા પાઠવી હતી, ત્યારે પ્રધાનમંત્રીએ જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે અરુણાચલમાં જય હિંદ ખૂબ જ લોકપ્રિય અભિવાદન છે અને કહ્યું કે અરુણાચલના લોકો સાથે વાતચીત કરવામાં હંમેશા આનંદ થાય છે.

શ્રી લકરને તેમની ગ્રામ પંચાયત દ્વારા વિકસીત ભારત સંકલ્પ યાત્રા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા અને 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સહજ સંદેશ તેમને ખૂબ જ સ્પષ્ટ હતો. પ્રધાનમંત્રીએ ગ્રામજનોને 5 ટીમો બનાવવા અને પાંચ ગામોમાં જઈને જાણ કરવા કહ્યું કે VBSYનું મોદી કી ગેરંટીવાહન આવી રહ્યું છે.

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1981094) Visitor Counter : 97